કેન્દ્રીય નાગિરક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરી કેરલ પ્લેન ક્રેશ પછી કોઝિકોડ પહોંચ્યા. વિમાન દુર્ઘટના વિશે વાત કરતાં તેમને કહ્યું કે દુર્ઘટના પછી રિયલ ટાઈમના આધારે જાણકારી મેળવવામાં આવી. એવા મામલે પ્રયત્નો હોય છે કે વધારેમાં વધારે લોકોના જીવ બચાવવામાં આવી શકે.
તેમને વધુમાં કહ્યું કે દુર્ઘટનાની વિસ્તૃત તપાસ કરી રહ્યા છે. સાથે જ અમારા પ્રયત્નો છે કે એવી ઘટના ફરી વખત ના થાય. સ્થાનિક લોકો અને NDRFની ટીમે આ દુર્ઘટનામાં ફસાયેલા લોકોની મદદ કરી. તેમને કહ્યું કે અમને 2 બ્લેક બોક્સ મળ્યા છે, જે લોકો ઘાયલ છે, તેમને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. અમે જે કરી શકીશું તે કરી રહ્યા છે. મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ લોકોને 2 લાખ રૂપિયા, જ્યારે સામાન્ય ઈજા પહોંચનારા લોકોને 50-50 હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ જાણકારી આપતા કહ્યું કે 23 પેસેન્જરને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ત્યારે 149 પેસેન્જરની સારવાર ચાલી રહી છે. અમે રાજ્યની સાથે મળી યોગ્ય રીતે કામ કરી રહી છે. ઘાયલોને તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 9:33 am, Sat, 8 August 20