યુપીના 22 લાખ કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશ ખબર, આ મહિનાથી લાગુ થશે કેશલેસ સ્કીમ, હેલ્થ કાર્ડ આપીને CM યોગી કરાવશે શરૂઆત

|

May 12, 2022 | 11:22 AM

રાજ્ય સરકાર (UP Government)દ્વારા આપવામાં આવેલા હેલ્થ કાર્ડ (Health card) દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો અને તેમના પરિવારજનો ખાનગી હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે.

યુપીના 22 લાખ કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશ ખબર, આ મહિનાથી લાગુ થશે કેશલેસ સ્કીમ, હેલ્થ કાર્ડ આપીને CM યોગી કરાવશે શરૂઆત
CM Yogi will start by giving health card

Follow us on

ઉત્તર પ્રદેશના લગભગ 22 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાજ્યની યોગી આદિત્યનાથ(CM Yogi Adityanath) સરકાર આ મહિનાથી કેશલેસ સ્કીમ લાગુ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યના સીએમ યોગી આદિત્યનાથ હેલ્થ કાર્ડ (health card) લોન્ચ કરીને આ યોજનાની શરૂઆત કરી શકે છે. હાલમાં રાજ્યમાં લાભાર્થીઓની સંખ્યા એક કરોડની આસપાસ હશે. કારણ કે આ કાર્ડના દાયરામાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની સાથે તેમના આશ્રિતો પણ હશે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને આ યોજના લાગુ કરવા માટે મુખ્યમંત્રીના ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યું છે.

રાજ્યમાં સરકાર બન્યા બાદ અગાઉની યોગી સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને કેશલેસ સારવાર આપવાનું વચન આપ્યું હતું. જોકે, આ માટેની દરખાસ્તને રાજ્ય કેબિનેટે આ વર્ષે જાન્યુઆરીમાં મંજૂરી આપી હતી. પરંતુ આ પછી રાજ્યમાં ચૂંટણીની તારીખ જારી કરવામાં આવી હતી અને ચૂંટણી પંચના નિયમો અમલમાં આવ્યા બાદ તેનો નિર્ણય થઈ શક્યો ન હતો. રાજ્યના આરોગ્ય વિભાગે તેના 100 દિવસના એજન્ડામાં તેનો સમાવેશ કર્યો હતો.આ યોજના હેઠળ રાજ્યના તમામ કર્મચારીઓ અને પેન્શનરો અને તેમના પરિવારો માટે સ્ટેટ હેલ્થ કાર્ડ બનાવવામાં આવશે, જેની મદદથી તેઓ કેશલેસ સારવારની સુવિધા મેળવી શકશે. કર્મચારીઓ અને પેન્શનરો તેમની સારવાર કોઈપણ ખાનગી હોસ્પિટલમાં કરાવી શકશે.

ખાનગી હોસ્પિટલમાં પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર

આ હેલ્થ કાર્ડ દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો અને તેમના પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે. જ્યારે સરકારી સંસ્થાઓમાં ખર્ચ માટે કોઈ સમય મર્યાદા નથી. આ સિવાય સરકાર પહેલા ચૂકવણી કરીને રિઈમ્બર્સમેન્ટ લેવાની જૂની સિસ્ટમ યથાવત રાખશે. આ અંતર્ગત કોઈપણ કર્મચારી પોતાના ખર્ચે સારવાર કરાવી શકે છે અને સરકારી વિભાગોને બિલ મોકલીને તેનું પેમેન્ટ મેળવી શકે છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

રાજ્યમાં એક કરોડથી વધુ લોકોને લાભ મળશે

રાજ્ય સરકારની આ યોજના હેઠળ રાજ્યના એક લાખથી વધુ લોકોને લાભ મળશે અને તેઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી શકશે. રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનરો તેમજ તેમના આશ્રિતો આ યોજનાનો લાભ લઈ શકશે. રાજ્ય સરકાર કર્મચારીઓ અને તેમના આશ્રિતોના કાર્ડ બનાવશે અને તેના દ્વારા ખાનગી હોસ્પિટલોમાં પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર કરાવી શકાશે.

Next Article