ઉત્તર પ્રદેશના વારાણસીમાં (Varanasi) જ્ઞાનવાપી મસ્જિદમાં બીજા દિવસે પણ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. કોર્ટે કોર્ટ કમિશનરને 17મી મે સુધીમાં સર્વે રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ રવિવારે સવારે 8 વાગ્યાથી સર્વે શરૂ થયો હતો. આ પહેલા શનિવારે 50 ટકા મસ્જિદનો સર્વે કરવામાં આવ્યો હતો. આ પછી આજે ફરી સ્પેશિયલ કોર્ટ કમિશનર વિશાલ સિંહ અને આસિસ્ટન્ટ કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંહ અને કોર્ટ કમિશનર અજય કુમાર મિશ્રાએ સર્વે હાથ ધર્યો હતો. બીજા દિવસનો સર્વે પૂર્ણ થયો છે. જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid) સંકુલમાંથી બહાર આવેલી ટીમના જણાવ્યા અનુસાર, ટીમ સોમવારે ફરીથી બે કલાક સુધી સર્વે કરશે.
વારાણસી કોર્ટે 17 મે સુધીમાં જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે પૂર્ણ કરીને વિગતવાર અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. જે માટે શનિવારે અને આજે સર્વે કરવામાં આવ્યો હતો. જ્ઞાનવાપી સર્વે કેસમાં હિન્દુ પક્ષના એડવોકેટ સુધીર ત્રિપાઠીએ જણાવ્યું કે સોમવારે પણ બે કલાક સુધી સર્વે કરવામાં આવશે. તેમણે કહ્યું કે એવું લાગે છે કે આવતીકાલે સર્વે પૂર્ણ થઈ જશે. આમાં લગભગ 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
Uttar Pradesh | Commission members have entered Gyanvapi mosque & survey process has started. Adequate security deployed, we have refined our strategy keeping in mind not to cause inconvenience to the pilgrims: A Satish Ganesh, Commissioner Police, Varanasi pic.twitter.com/2cLw2QQCBy
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 15, 2022
મસ્જિદ કમિટીના વાંધાઓ વચ્ચે ગયા અઠવાડિયે સર્વેને રોકી દેવામાં આવ્યો હતો. સમિતિએ દાવો કર્યો હતો કે કોર્ટ દ્વારા સર્વે માટે નિયુક્ત કરાયેલા એડવોકેટ કમિશનરને પરિસરની અંદર વીડિયોગ્રાફી કરાવવાનો અધિકાર નથી. વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલ રાજ શર્માએ જણાવ્યું કે, રવિવારે સતત બીજા દિવસે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સર્વે-વીડિયોગ્રાફીનું કામ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સર્વેક્ષણ પ્રક્રિયા શનિવારે શાંતિપૂર્ણ રીતે હાથ ધરવામાં આવી હતી અને કોઈને કોઈ વાંધો નહોતો.
સર્વે માટે જતી વખતે સ્પેશિયલ એડવોકેટ કમિશનર વિશાલ સિંહે કહ્યું કે મારી સાથે સુપ્રીમ કોર્ટના એડવોકેટ રાજેન્દ્ર નાથ પાંડે પણ સર્વે દરમિયાન મસ્જિદ પરિસરમાં હાજર રહેશે. શનિવારની ટીમ રવિવારે ફરી અંદર જશે. જિલ્લા મેજિસ્ટ્રેટ શર્માએ જણાવ્યું હતું કે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શનિવારે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી અને લગભગ 50 ટકા સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું હતું. આજે લગભગ 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
Published On - 7:28 pm, Sun, 15 May 22