સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ બિનહરીફ ઉમેદવારોનો નવો વિક્રમ નોંધાયો છે. કુલ 1816 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના 720 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. પોરબંદરમાં સૌથી વધુ 11, આણંદમાં 12 અને મહેસાણામાં 5 ઉમેદવારો બિનહરીફ રહ્યા છે, જ્યારે વડોદરા અને અમદાવાદમાં 2-2 ઉમેદવારો બિનહરીફ બન્યા છે. હવે કુલ 8817 બેઠકો માટે 24,368 ઉમેદવારો મેદાનમાં છે, અને બાકી રહેલી 9237 બેઠકો માટે 26મીના રોજ મતદાન યોજાશે.
રાજકોટ જિલ્લાના જસદણમાં પોલીસ સાથે ઝપાઝપી કરનાર બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે. પોલારપર રોડ નજીક કિશોર બારોટની વાડીમાં પોલીસે દરોડા પાડ્યા દરમિયાન દારૂની ભઠ્ઠી ચલાવતા ચાર બુટલેગરોએ પોલીસનો વિરોધ કર્યો અને ઝપાઝપી કરી હતી. આરોપ છે કે તેમણે પોલીસનો મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો અને નશાની હાલતમાં પોલીસને ધમકીઓ પણ આપી હતી. સમગ્ર ઘટનાને પગલે પોલીસે કુલ સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી તેમને ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક અકસ્માતની ઘટના સામે આવી હતી. વોર્ડ નંબર-9માં પ્રચાર દરમિયાન એક કાર અચાનક ડિવાઇડર પર ચડી ગઈ હતી. આ સમયે હાજર ભાજપ ઉમેદવારે તરત જ પ્રચાર રોકીને કારચાલકની મદદ માટે આગળ આવ્યા હતા. બાદમાં કાર્યકરોએ એકઠા થઈને કારને ડિવાઇડર પરથી સલામત રીતે નીચે ઉતારી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
ભરૂચમાં ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલની સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય ચર્ચા જગાવી છે. તેમણે કોંગ્રેસમાં આંતરિક મતભેદ હોવાનો સંકેત આપતા લખ્યું કે તેમને પ્રચાર માટે બોલાવવામાં આવી રહી છે, પરંતુ એકજુટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે જીતવા માટે પહેલા પાર્ટીને અંદરથી મજબૂત બનવું પડશે. તેમની આ ટિપ્પણીથી કોંગ્રેસમાં એકતા અંગે પ્રશ્નો ઉભા થયા છે અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ ભાજપે બિનહરીફ ઉમેદવારોના મામલે નોંધપાત્ર વિક્રમ સર્જ્યો છે. પોરબંદર કોર્પોરેશનમાં સૌથી વધુ 11 બેઠકો બિનહરીફ રહી છે, જ્યારે આણંદમાં 12, મહેસાણામાં 5 અને વડોદરા તથા અમદાવાદમાં 2-2 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. કુલ 1816 ઉમેદવારો ફોર્મ પાછા ખેંચતા ભાજપની 720 બેઠકો બિનહરીફ બની છે, જેના કારણે કડીમાં ભાજપને બે તૃતિયાંશ બહુમતિ મળી ગઈ છે અને ઊંઝા, બાયડ, ગણદેવી તેમજ સહેરા સહિત 8થી વધુ પાલિકાઓમાં ચૂંટણી પહેલાં જ સત્તા મેળવી લીધી છે. હાઈવોલ્ટેજ રાજકીય નાટક બાદ હવે બાકી રહેલી 9237 બેઠકો માટે મતદાન યોજાશે, જેમાં ઉમેદવારોને પ્રચાર માટે 9 દિવસનો સમય મળશે. 26મીના મતદાન બાદ 28મીના પરિણામ જાહેર કરવામાં આવશે.
સંસદનું ખાસ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. તે ત્રણ દિવસ ચાલશે. આ સત્ર દરમિયાન ત્રણ મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા થશે. 16-17 એપ્રિલે લોકસભામાં અને 18 એપ્રિલે રાજ્યસભામાં આ બિલો પર ચર્ચા થશે. પીએમ મોદી મહિલા અનામત બિલ પર પણ વાત કરશે. કાયદા મંત્રી અર્જુન મેઘવાલ બિલ રજૂ કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બંને ગૃહોમાં ચર્ચાનો જવાબ આપશે.
આજે 16 એપ્રિલને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:30 am, Thu, 16 April 26