
હિંદુ લગ્ન અને ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપતા સ્પષ્ટ કર્યુ છે કે જો સપ્તપદી જેવી કોઈ પારંપરિક રસ્મો અને સમારોહ આયોજિત નથી કરવામાં આવતા તો તે માત્ર રજિસ્ટ્રેશનના આધારે હિંદુ લગ્નને કાયદેસર ગણી શકાય નહીં. હાઈકોર્ટનો આ ચુકાદો ગયા વર્ષે નવેમ્બરમાં એક ફેમિલી કોર્ટ તરફથી આપવામાં આવેલ આદેશને રદ કરતા આપવામાં આવ્યો છે.
તેના ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટે પુનરોચ્ચાર કર્યો કે હિન્દુ લગ્નમાં સપ્તપદી (પવિત્ર અગ્નિની આસપાસ લેવામાં આવતા સાત પગલાં) ફક્ત એક ધાર્મિક વિધિ નથી પરંતુ કાયદેસર રીતે મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. જો આ ફરજિયાત વિધિ કરવામાં ન આવે તો લગ્નને ફક્ત લગ્ન પ્રમાણપત્રના આધારે માન્ય ગણી શકાય નહીં. પરિણામે આ ચુકાદો એવા લોકો માટે મહત્વપૂર્ણ છે જેઓ માને છે કે લગ્નની નોંધણી તેની કાનૂની માન્યતા સ્થાપિત કરવા માટે પૂરતી છે.
ગુજરાત હાઈકોર્ટે મંગળવારે હિંદુ લગ્નને લઈને મોટો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટ કહ્યુ છે કે વ્યવસ્થા આપવામાં આપવામાં આવી છે કે જો સપ્તપદી જેવી ધાર્મિક પારંપારિક રસમો અને સમારોહ આયોજિત નથી કરાતા તો માત્ર રજિસ્ટ્રેશનને આધારે હિંદુ લગ્નને માન્યતા આપી શકાય નહીં. હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યુ છે કે પારંપારિક સમારોહ, તેની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતા છતા કોઈ વ્યક્તિના આધ્યાત્મિક અસ્તિત્વને શુદ્ધ અને પરિપક્વ કરે છે. આ ચુકાદો ગત વર્ષે નવેમ્બરમાં એક ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને રદ કરતા આપવામાં આવ્યો છે.
આ કેસ બ્રિટનમાં રહેતા એક ભારતીય પુરુષ કૌશલ સોનાર સાથેની અપીલ સાથે જોડાયેલો છે. જેણે માત્ર રજિસ્ટ્રેશનને આધારે છેતરપિંડીથી બતાવેલા તેના લગ્નને અમાન્ય ગણવાની માગ કરી હતી. જેમા બ્રિટનમાં રહેતા વ્યક્તિનો આરોપ હતો કે અમદાવાદની એક મહિલાએ તેને નોકરી અપાવવાના બહાને છેતરીને કેટલાક દસ્તાવેજો પર સહીઓ કરાવી લીધી હતી અને ખોટી રીતે લગ્નનું પ્રમાણપત્ર મેળવી લીધું હતું. આ પુરુષને ખ્યાલ પણ નહોતો કે તેના લગ્ન થઈ ગયા છે! તેને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તે મહિલા તેના માતા-પિતા પાસે મેરેજ સર્ટિફિકેટ લઈને પહોંચી ગઈ અને પોતાને તેની કાયદેસરની પત્ની ગણાવવા લાગી.
પુરુષે કોર્ટને જણાવ્યું કે તેમની વચ્ચે લગ્નની કોઈ જ વિધિ થઈ નથી અને તેઓ ક્યારેય પતિ-પત્ની તરીકે સાથે રહ્યા પણ નથી. આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ફેમિલી કોર્ટમાં મહિલાએ પોતે પણ સ્વીકારી લીધું કે તેમની વચ્ચે કોઈ ધાર્મિક વિધિ થઈ નથી. આમ છતાં, ફેમિલી કોર્ટે માત્ર સરકારી સર્ટિફિકેટને આધાર માનીને પુરુષની અરજી ફગાવી દીધી અને આખા કેસની લાંબી સુનાવણી (Trial) કરવાનો આદેશ આપ્યો. આ અન્યાયી નિર્ણય સામે પુરુષે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા અને ફેમિલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમા જસ્ટિસ ઈલેશ વોરા અને જસ્ટિસ આર ટી વાછાણી ની બેંચે કહ્યુ કે સપ્તપદી જેવી મહત્વપૂર્ણ રસમ એ હિંદુઓમાં લગ્ન જીવનનો સૌથી મોટો આધાર છે.
અપીલકર્તા કૌશલ સોનારે કોર્ટને જણાવ્યુ કે આ કથિત લગ્ન વિશે તેને જાણ પણ ન હતી. મહિલાએ જ્યારે આ અંગે તેના માતા-પિતાનો સંપર્ક કર્યો અને છેતરપિંડીથી બનાવેલુ લગ્ન અંગેનું પ્રમાણપત્ર બતાવીને દાવો કર્યો કે તે તેની કાયદાકીય રીતે પત્ની છે. કૌશલે એ પણ સ્પષ્ટ કર્યુ કે મહિલા સાથે તેના કોઈ લગ્ન થયા નથી. કોઈ જ હિંદુ રીતિ રિવાજ મુજબ કે વિધિ વિધાન મુજબ તેની સાથે કોઈ રસમો નિભાવી છે અને ના ક્યારેય તેઓ પતિ તરીકે મહિલાની સાથે રહ્યા છે.
હાઈકોર્ટે નોંધ્યુ છે કે જ્યારે પ્રતિવાદી મહિલાએ ફેમિલી કોર્ટ સમક્ષ સ્પષ્ટ રીતે સ્વીકાર્યુ છે કે તેમની વચ્ચે લગ્નની કોઈ રસ્મ કે સમારોહ નથી થયો અને બંને વચ્ચે ક્યારેય પતિ-પત્નીનો કોઈ સંબંધ નથી રહ્યો. તો પારિવારિક અદાલતે અપીલકર્તા તરફથી દાખલ કરવામાં આવેલી યાચિકાને ફગાવીને ભૂલ કરી
હાઈકોર્ટે હિંદુ વિવાદ અધિનિયમની કલમ 7નો ઉલ્લેખ કર્યો. જેમા વિવાહને પૂર્ણ અને બંધનકર્તા બનાવનારા પારંપરિક રિવાજો અને વિધિઓ અને સમારોહનો ઉલ્લેખ છે. અદાલતે સ્પષ્ટ કહ્યુ કે લગ્નનો કોઈ રિવાજ અને સમારોહ આયોજિત કરવામાં નથી આવ્યો તો આ મામલામાં હિંદુ લગ્નની પાયાની અન આવશ્યક શરતો પૂર્ણ નથી થતી.
કલમ 8 (લગ્નની નોંધણી): આ કલમ માત્ર લગ્નની સરકારી નોંધણીની પ્રક્રિયા દર્શાવે છે. કોર્ટના મતે, આ નોંધણીનો અર્થ એ નથી કે તે કોઈ ગેરકાયદે કે ન થયેલા લગ્નને કાયદેસરતા બક્ષે. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના એક પ્રખ્યાત કેસનો રેફરન્સ પણ ટાંકવામાં આવ્યો અને જેમા ‘રત્નમ્મા અને અન્ય વિરુદ્ધ સુજાથમ્મા અને અન્યનો હવાલો આપ્યો હતો. જેમા પણ ઠરાવાયુ હતુ કે માત્ર મેરેજ રજિસ્ટ્રેશન એ લગ્નનો અંતિમ પુરાવો નથી.
હાઈકોર્ટનો આ ચુકાદો માત્ર એવા લોકોને જ લાગુ પડે છે જેમણે હિંદુ વિધિ-વિધાન મુજબ લગ્ન કર્યા છે અને માત્ર રજિસ્ટ્રેશન માટેનું સર્ટિફિકેટ કઢાવી લીધુ છે. જો સપ્તપદીના ફેરા ન થયા હોય તો હિંદુ લગ્ન અમાન્ય ગણાશે. જો ભવિષ્યમાં કોઈ હિંદુ વિધિથી લગ્નનો દાવો કરે છે તો તેની પાસે લગ્નની ધાર્મિક વિધિઓ અને સાત ફેરા થયા હોવાનો પુરાવો હોવો જરૂરી બનશે. માત્ર મિલક્ત હડપી લેવા માટે કે નોકરી માટે કાગળ પર સહીઓ કરીને નકલી મેરેજ સર્ટિફિકેટ બનાવી લેવાના કૌભાંડો પર લગામ લાગશે. આ ચુકાદાને કારણે પરંપરાગત રીતે થયેલા લગ્નોને કોઈ આંચ નહીં આવે પરંતુ લગ્નના સર્ટિફિકેટને આધારે થતા છેતરપિંડી જેવા કિસ્સાઓ પર રોક લાગશે.
Published On - 9:30 pm, Thu, 2 July 26