
મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાતે ભારતના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ દેશના સૌથી પ્રગતિશીલ રાજ્યોમાંનું એક છે. દેશના સાંસ્કૃતિક વારસાના જતનમાં પણ ગુજરાતે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.દેશના પશ્ચિમી રાજ્ય ગુજરાતના નિર્માણના 65 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. આજના દિવસે બોમ્બે રાજ્યને 2 રાજ્ય (ગુજરાત અને મહારાષ્ટ્ર)માં વિભાજીત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બંન્ને રાજ્યોએ દેશને આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં મહ્તવનું યોગદાન આપ્યું છે.
પીએમ મોદીએ ગુજરાત દિવસ નિમિત્તે લખ્યું, “ગુજરાતના લોકોને રાજ્ય સ્થાપના દિવસના ગૌરવપૂર્ણ પ્રસંગે મારી હાર્દિક શુભેચ્છાઓ. દિલ્હી વિધાનસભામાં મહારાષ્ટ્ર અને ગુજરાત દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી.દિલ્હી સરકારમાં મંત્રી પ્રવેશ વર્મા અને મનજિંદર સિંહ સિરસા સાથે મળી ગરબે રમતા જોવા મળ્યા હતા.1960ના આ દિવસે દેશના ઇતિહાસમાં ગુજરાત અને મહારાષ્ટ્ર નામના બે ઐતિહાસિક રાજ્યોનો ઉદય થયો.
On the proud occasion of their Statehood Day, my best wishes to the people of Gujarat. The state has distinguished itself for its culture, spirit of enterprise and dynamism. The people of Gujarat have excelled in various fields. May the state keep attaining new heights of…
— Narendra Modi (@narendramodi) May 1, 2025
પશ્ચિમ ભારતમાં સ્થિત ગુજરાત તેની સમૃદ્ધ સંસ્કૃતિ, વારસો અને પરંપરાઓ માટે જાણીતું છે. આ રાજ્ય ભારતના કેટલાક સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળો અને પ્રવાસન આકર્ષણોનું કેન્દ્ર રહ્યા છે. સાબરમતી આશ્રમ, કચ્છનું રણ અને એશિયાઈ સિંહોનું કુદરતી નિવાસસ્થાન પ્રવાસીઓની પહેલી પસંદગીઓમાંનું એક છે.
ગુજરાતની સરહદ ઉત્તર-પશ્ચિમમાં પાકિસ્તાન, ઉત્તરમાં રાજસ્થાન, પૂર્વમાં મધ્ય પ્રદેશ અને દક્ષિણમાં મહારાષ્ટ્ર અને દીવ, દમણ, દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશ સાથે જોડાયેલી છે. જ્યારે, દક્ષિણ-પશ્ચિમમાં, ગુજરાત અરબી સમુદ્ર સાથે તેની સરહદ સાથે જોડાયેલી છે.ગૃહમંત્રી અમિત શાહે પણ ગુજરાતના સૌ બહેનો અને ભાઈઓને ગુજરાત દિવસની અનેકાનેક શુભેચ્છાઓ પાઠવી હતી.
વૈવિધ્યસભર કુદરતી સંપદા, ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો અને આતિથ્ય માટે પ્રસિદ્ધ ગુજરાતના સૌ બહેનો અને ભાઈઓને ગુજરાત દિવસની અનેકાનેક શુભેચ્છાઓ.
ગુજરાતે હંમેશા પોતાની પ્રતિભા, પરિશ્રમ તેમજ વ્યવહારુ કુશળતા થી વિશ્વભરના લોકોને આકર્ષિત કર્યા છે. ભક્તિ ચળવળથી લઈને સ્વતંત્રતા ચળવળ અને…
— Amit Shah (@AmitShah) May 1, 2025
નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રવેશ સાહિબ સિંહે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ત્રણ હજારથી વધુ મતોના માર્જિનથી હરાવ્યા છે. પ્રવેશ સાહિબ સિંહ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર છે.