જમ્મૂ-કાશ્મીરમાં અમરનાથ યાત્રામાં આતંકી હુમલાનું જોખમ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકારે યાત્રાને હાલમાં રોકી દીધી છે અને યાત્રીઓને પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સુરક્ષા દળોમાં અમરનાથ યાત્રાના રૂટ પર સર્ચ ઓપરેશન દરમિયાન સ્નાઈપર રાઈફલ મળી આવી છે. ત્યારબાદ યાત્રા રોકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જમ્મૂ-કાશ્મીર પ્રશાસને કહ્યું કે રાજ્યમાં મોટો આતંકી હુમલાનો ઈનપુટ છે. યાત્રીઓને યાત્રા ઝડપી પૂર્ણ કરીને પરત ફરવા માટે કહેવામાં આવ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો