Gujarati NewsNationalGovernment will now provide shelter to destitute elderly CM Arvind Kejriwal launches Senior Citizen Home All facilities will be available for free
હવે નિરાધાર વૃદ્ધોને સરકાર આપશે આશરો, સીએમ અરવિંદ કેજરીવાલે શરૂ કર્યું ‘સિનિયર સિટીઝન હોમ’ – મફતમાં મળશે તમામ સુવિધાઓ
દિલ્હીની કેજરીવાલ સરકારે રાજ્યના વડીલોને ધ્યાનમાં રાખીને અને તેમની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સિનિયર સિટીઝન હોમ (Senior Citizen Home) શરૂ કર્યું છે. મંગળવારે સીએમ અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) 'બાબા સાહેબ ડૉ. ભીમ રાવ આંબેડકર સિનિયર સિટિઝન હોમ'નું ઉદ્ઘાટન કર્યું છે.
દિલ્હીની કેજરીવાલ સરકારે (Delhi Government) રાજ્યના વડીલોને ધ્યાનમાં રાખીને અને તેમની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સિનિયર સિટીઝન હોમ (Senior Citizen Home) શરૂ કર્યું છે. આજે મંગળવારે સીએમ અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) ‘બાબા સાહેબ ડૉ. ભીમ રાવ આંબેડકર સિનિયર સિટિઝન હોમ’નું ઉદ્ઘાટન કર્યું છે. આ અવસર પર કેજરીવાલે કહ્યું કે અમે એવા વૃદ્ધોની સંભાળ લઈશું, જેમની સંભાળ લેવાવાળું કોઈ નથી, તેઓ તેમને સન્માનનું જીવન આપીશું. આ આવાસમાં તેમના માટે તમામ સુવિધાઓ બિલકુલ ફ્રી હશે. બીજી તરફ દિલ્હી સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યું કે, પશ્ચિમ વિહાર વિસ્તારમાં વરિષ્ઠ નાગરિકો માટે પાંચમું વૃદ્ધાશ્રમ ત્રણ મહિનામાં તૈયાર થઈ જશે.
दिल्ली में आज से ‘बाबा साहब डॉ. भीमराव अम्बेडकर वरिष्ठ नागरिक निवास’ नाम से शानदार सीनियर सिटीज़न होम की शुरुआत हुई। जिन बुजुर्ग़ों की देखभाल करने वाला कोई नहीं है, उनका ख्याल हम रखेंगे, उन्हें सम्मान की ज़िंदगी देंगे। इस निवास में उनके लिए सारी सुविधाएं एकदम फ़्री होंगी। pic.twitter.com/QxNeZHDthI
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું કે, તેમની સરકાર રાજધાનીમાં વૃદ્ધાશ્રમમાં રહેતા વરિષ્ઠ નાગરિકોને મફત યાત્રા પર મોકલશે. કેજરીવાલે આ વાત રાજધાનીના ચોથા વૃદ્ધાશ્રમ, બાબા સાહેબ ડૉ. ભીમ રાવ આંબેડકર વરિષ્ઠ નાગરિક ગૃહ, પૂર્વ દિલ્હીના કાંતિ નગરમાં ઉદ્ઘાટન સમયે કહી હતી. તેમણે કહ્યું, અમને આશા છે કે, આપણા વડીલોએ ક્યારેય ઘર છોડવું પડશે નહીં. પરંતુ જો કોઈ કારણસર તેમને આવું કરવું પડે તો અમે તેમનું સંપૂર્ણ ધ્યાન રાખીશું અને સાથે જ તેમને ખુશ રાખવાનો પણ પૂરો પ્રયાસ કરીશું. અમે તેમને અહીં ઘર જેવું વાતાવરણ આપીશું.
નવ વૃદ્ધાશ્રમમાં એક હજાર વરિષ્ઠ નાગરિકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે
તેમણે કહ્યું કે, હાલમાં દિલ્હીમાં ચાર વૃદ્ધાશ્રમ છે, આ સિવાય વધુ પાંચ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, કુલ આ નવ વૃદ્ધાશ્રમોમાં એક હજાર વરિષ્ઠ નાગરિકો માટે રહેવાની વ્યવસ્થા હશે. કેજરીવાલે કહ્યું, દિલ્હી સરકાર વરિષ્ઠ નાગરિકોને તીર્થયાત્રા પર મોકલે છે. મહામારી ફાટી નીકળવાના કારણે 2020 અને 2021માં યાત્રાનું આયોજન થઈ શક્યું નથી. પરંતુ હવે ફરી શરૂ કરવામાં આવી છે. અમે વૃદ્ધાશ્રમમાં રહેતા તમામ વરિષ્ઠ નાગરિકોને તીર્થયાત્રા પર મોકલીશું.
નોંધનીય છે કે, મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના હેઠળ દિલ્હીના વરિષ્ઠ નાગરિકો સરકારના ખર્ચે તીર્થયાત્રા પર જઈ શકે છે. દિલ્હી સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યું કે, પશ્ચિમ વિહાર વિસ્તારમાં વરિષ્ઠ નાગરિકો માટે પાંચમું વૃદ્ધાશ્રમ ત્રણ મહિનામાં તૈયાર થઈ જશે.