મહાન ગુજરાતી વૈજ્ઞાનિક સારાભાઈની 100મી જન્મજંયતી પર ગૂગલે આ ખાસ ડૂડલ બનાવીને કર્યા યાદ, જાણો એવુ શું કર્યુ હતુ સારાભાઈએ કે જેના લીધે લોકોનું જીવન બન્યુ સરળ

|

Aug 12, 2019 | 6:38 AM

સર્ચ એન્જિન ગૂગલે તેમનું ડૂડલ ભારતીય વૈજ્ઞાનિક વિક્રમભાઈ સારાભાઈને સમર્પિત કર્યુ છે. વિક્રમ સારાભાઈની આજે 100મી જન્મ જયંતી છે. ભારતને અંતરિક્ષ વિજ્ઞાનમાં મોટી સફળતા આપીને મોટા-મોટા અભિયાનોમાં જે સફળતા પ્રાપ્ત કરી છે. તે બધાનું શ્રેય માત્ર મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈને જાય છે. વિક્રમ સારાભાઈનું ડૂડલ મુંબઈના કલાકાર પવન રાજુરકરે બનાવ્યુ છે. વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ […]

મહાન ગુજરાતી વૈજ્ઞાનિક સારાભાઈની 100મી જન્મજંયતી પર ગૂગલે આ ખાસ ડૂડલ બનાવીને કર્યા યાદ, જાણો એવુ શું કર્યુ હતુ સારાભાઈએ કે જેના લીધે લોકોનું જીવન બન્યુ સરળ

Follow us on

સર્ચ એન્જિન ગૂગલે તેમનું ડૂડલ ભારતીય વૈજ્ઞાનિક વિક્રમભાઈ સારાભાઈને સમર્પિત કર્યુ છે. વિક્રમ સારાભાઈની આજે 100મી જન્મ જયંતી છે. ભારતને અંતરિક્ષ વિજ્ઞાનમાં મોટી સફળતા આપીને મોટા-મોટા અભિયાનોમાં જે સફળતા પ્રાપ્ત કરી છે. તે બધાનું શ્રેય માત્ર મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈને જાય છે. વિક્રમ સારાભાઈનું ડૂડલ મુંબઈના કલાકાર પવન રાજુરકરે બનાવ્યુ છે.

વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ અમદાવાદમાં 12 ઓગસ્ટ 1919એ થયો હતો. તેમના પિતા અંબાલાલ સારાભાઇ એક સમૃદ્ધ ઉદ્યોગપતિ હતા અને ગુજરાતમાં ઘણી મિલોના માલિક હતા. વિક્રમ સારાભાઈએ ‘કેમ્બ્રિજ વિશ્વ વિદ્યાલય’ના સેન્ટ જોન કોલેજમાંથી ડૉક્ટરેટની ડિગ્રી મેળવી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તમને જણાવી દઈએ કે તેઓ એવા વૈજ્ઞાનિક હતા જે હંમેશા યુવા વૈજ્ઞાનિકને આગળ વધારવામાં મદદ કરતા હતા. સારાભાઈએ 1947માં અમદાવાદમાં PRLની સ્થાપના કરી હતી. વિક્રમ સારાભાઈને 1962માં શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને 1966માં પદ્મ ભૂષણ અને 1972માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેવી રીતે થઈ ISROની સ્થાપના

ISROની સ્થાપના વિક્રમ સારાભાઈની મહાન સિદ્ધિઓમાંથી એક છે. રશિયન સ્પુટનિકના લોન્ચ પછી તેમને ભારત જેવા વિકાસશીલ દેશ માટે અંતરિક્ષ કાર્યક્રમના મહત્વ વિશે સરકારને રાજી કરી અને કહ્યું દેશને તેની જરૂરિયાત છે. ડૉ.સારાભાઈએ તેમના ક્વોટમાં અંતરિક્ષ કાર્યક્રમના મહત્વ પર ભાર મુક્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ISRO અને PRL સિવાય તેમને ઘણી સંસ્થાઓની સ્થાપના કરી. ‘પરમાણુ ઉર્જા આયોગ’ના અધ્યક્ષ પદ પર પણ વિક્રમ સારાભાઈ રહી ચૂક્યા છે. તેમને અમદાવાદમાં સ્થિત અન્ય ઉદ્યોગપતિઓની સાથે મળીને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)ની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

[yop_poll id=”1″]

વિક્રમ સારાભાઈ દ્વારા સ્થાપિત કરેલી સંસ્થાઓ

1. PRL, અમદાવાદ

2. IIM, અમદાવાદ

3. કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, અમદાવાદ

4. દર્પણ એકેડેમી ફોર પરફોર્મિંગ આર્ટસ, અમદાવાદ

5. વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર, તિરૂવનંતપુરમ

6.સ્પેસ એપ્લીકેશન સેન્ટર, અમદાવાદ

7. ફાસ્ટ બ્રીડર ટેસ્ટ રિએક્ટર (FBTR), કલ્પકમ

8. વેરિએબલ એનર્જી સાઈક્લોટ્રોન પ્રોજેક્ટ, કોલક્તા

9. યૂરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (UCIL), બિહાર

અંતરિક્ષની દુનિયામાં ભારતને ટોચ પર પહોંચાડનારા અને વિજ્ઞાન જગતમાં દેશનું નામ કરનારા આ મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈનું મુત્યુ 30 ડિસેમ્બર 1971ના રોજ કોવલમ તિરૂવનંતપુરમમાં થયુ હતુ.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article