AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goa Assembly Elections: TMC સાથે ગઠબંધન નહીં કરે આમ આદમી પાર્ટી, કહ્યું- અમે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનાવીશું

અરવિંદ કેજરીવાલની પાર્ટીએ 2017માં ગોવા વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી, પરંતુ પાર્ટીને એક પણ બેઠક મળી ન હતી. આગામી 2022ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષોએ પોતાના કમર કસી લીધી છે.

Goa Assembly Elections: TMC સાથે ગઠબંધન નહીં કરે આમ આદમી પાર્ટી, કહ્યું- અમે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનાવીશું
Arvind Kejriwal
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 8:30 PM
Share

Goa Assembly Elections: આમ આદમી પાર્ટી (Aam Aadmi Party- AAP)એ રવિવારે કહ્યું કે તે ગોવામાં આગામી વિધાનસભા ચૂંટણી માટે મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે ગઠબંધન કરશે નહીં. પાર્ટીના ગોવા ડેસ્કના પ્રભારી આતિશીએ જણાવ્યું હતું કે AAP ગોવામાં સારા ઉમેદવારો ઉભા કરશે અને નવો વિકલ્પ પ્રદાન કરશે અને પ્રામાણિક અને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનાવશે. ગોવામાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

આતિશીએ ટ્વિટ કર્યું, ‘હું પૂરી જવાબદારી સાથે કહી રહ્યો છું કે TMC સાથે કોઈ ગઠબંધન નહીં થાય. તેથી તેની સાથે વાત કરવાનો પ્રશ્ન જ નથી. અમે એક નવો વિકલ્પ આપવા અને સારા ઉમેદવારો સાથે ગોવામાં ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.” તેણે પશ્ચિમ બંગાળ સ્થિત લેખકના ટ્વિટનો જવાબ આપ્યો હતો.

લેખકે એક સમાચારને ટાંકીને કહ્યું કે, આમ આદમી પાર્ટી ગોવામાં TMC સાથે ગઠબંધન કરવા આતુર છે અને મમતા બેનર્જીની પાર્ટીએ હજુ સુધી આ પ્રસ્તાવ પર નિર્ણય લીધો નથી. જો કે આ મુદ્દે બંને પક્ષો વચ્ચે વાતચીતનો રાઉન્ડ યોજાયો છે. AAP પાર્ટીએ ગોવા વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો છે.

2017ની ચૂંટણીમાં AAPને એક પણ સીટ મળી ન હતી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ની પાર્ટીએ 2017માં ગોવા વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી, પરંતુ પાર્ટીને એક પણ બેઠક મળી ન હતી. આગામી 2022ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષોએ પોતાના કમર કસી લીધી છે. તમામ પક્ષો જનતાને રીઝવવાના તેમના પ્રયાસોમાં કોઈ કસર છોડી રહ્યા નથી. રાજકીય પક્ષોમાં એકબીજાથી આગળ રહેવાની સ્પર્ધા ચાલી રહી છે.

દિલ્હીના મુખ્યપ્રધાન અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે તાજેતરમાં તેમના ગોવાના પ્રવાસ દરમિયાન મફત વીજળી, મફત યાત્રાધામ, બેરોજગારી ભથ્થું અને મહિલાઓને 1 હજાર રૂપિયાની ભેટ આપવા સહિતની ઘણી વિશેષ ચૂંટણી જાહેરાતો કરી હતી.

TMCએ ગોવામાં મહિલાઓને ભેટ આપી તૃણમૂલ કોંગ્રેસે ગોવામાં મહિલાઓ માટે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર સ્કીમ (direct cash transfer scheme) ની પણ જાહેરાત કરી છે. નેતા મહુઆ મોઇત્રાએ જણાવ્યું કે આ યોજનાનું નામ ‘ગૃહ લક્ષ્મી’ રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે દરેક ઘરની એક મહિલાને દર મહિને પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે જેથી તેમને મોંઘવારીનો સામનો કરવામાં મદદ મળી શકે. તેમણે કહ્યું કે તેમની પાર્ટી ટૂંક સમયમાં યોજનાના લાભાર્થીઓમાં કાર્ડનું વિતરણ શરૂ કરશે. આ કાર્ડમાં એક ઓળખ નંબર હશે અને TMC સત્તામાં આવ્યા બાદ તેનો અમલ શરૂ થશે.

આ પણ વાંચો: વડોદરાની SSG અને નરહરિ હોસ્પિટલને ICU ઓન વ્હીલ એમ્બ્યુલન્સ આપવામાં આવી

આ પણ વાંચો: Team India: દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે આ બે બેટ્સમેનોને લાગી શકે છે લોટરી, શિખર ઘવનને મોકાની રાહ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">