ઉત્તરાખંડમાં હિમાલય ક્ષેત્રમાં સ્થિત ભગવાન શિવના ધામ એવા કેદારનાથના કપાટ ઠંડીની સિઝનમાં 6 માસ માટે બંધ કરી દેવામાં આવે છે. ચાલુ વર્ષે 29 એપ્રિલે સવારે 6:00 કલાકે કેદારનાથ ધામના દરવાજા શ્રધ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. કપાટ ખોલવાનું શુભ મુર્હૂત શુક્રવારના રોજ શિવરાત્રીના દિવશે નક્કી કરવામાં આવ્યું છે. ઠંડીની સિઝનમાં ઓમકારેશ્વર મંદિરમાં જ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ મોહન પ્રસાદે કહ્યું કે, કેદારનાથ મંદિરના કપાટ 29 એપ્રિલે વિધિવત પૂજા-અર્ચના બાદ સવારે 6:00 કલાકે શ્રધ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. સાથે જ બદ્રીનાથ ધામના કપાટ 30 એપ્રિલે બપોરે 4:00 કલાકે ખોલવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: મફતમાં મળશે હવે રેલ્વે પ્લેટફોર્મ ટિકિટ! તમારે કરવું પડશે આ કામ!
હિમાલયના પ્રસિધ્ધ ચાર ધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી મંદિરોના કપાટ ઠંડીની સિઝન ઓક્ટોબર-નવેમ્બર માસમાં બંધ કરી દેવામાં આવે છે. ગંગોત્રી અને યમનોત્રી મંદિરના કપાટ દર વર્ષે અક્ષય તૃતિયાના પાવન દિવસે ખોલવામાં આવે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]