AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Galwan Ke Veer : ગલવાનના વીરોની યાદમાં સેનાએ જાહેર કરેલું Video સોંગ જોઈ આંખો છલકાઈ જશે!

ગલવાન ખીણમાં સંઘર્ષને 15 જૂન મંગળવારે એક વર્ષ પૂર્ણ થયું. ભારતીય સેના (Indian Army) ના જાંબાઝ સૈનિકોની યાદમાં Galwan Ke Veer ગીત પ્રખ્યાત ગાયક હરિહરને ગાયું છે.

Galwan Ke Veer : ગલવાનના વીરોની યાદમાં સેનાએ જાહેર કરેલું  Video સોંગ જોઈ આંખો છલકાઈ જશે!
ભારતીય સેનાએ જાહેર કર્યું Galwan Ke Veer ગીત
| Updated on: Jun 15, 2021 | 11:11 PM
Share

Galwan Ke Veer : ભારતીય સેનાએ પૂર્વી લદ્દાખમાં ચીની સૈનિકો સાથે ગેલવાન ખીણની અથડામણમાં પોતાનો જીવ ગુમાવનારા ભારતીય સેના (Indian Army) ના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક Video ગીત રજૂ કર્યું છે. પાંચ મિનિટની આ વિડિઓમાં ભારતના વીર સૈનિકોની બરફથી ઢંકાયેલા પર્વત શિખરો પર, 24 કલાક પેટ્રોલિંગ, તેમની તાલીમ અને કોઈપણ જોખમનો સામનો કરવાની તેમની કામગીરીની તૈયારીઓની ઝલક દેખાય છે.

પ્રખ્યાત ગાયક હરિહરને ગાયું ગીત ગલવાન ખીણમાં સંઘર્ષને 15 જૂન મંગળવારે એક વર્ષ પૂર્ણ થયું. ભારતીય સેના (Indian Army) ના જાંબાઝ સૈનિકોની યાદમાં Galwan Ke Veer ગીત પ્રખ્યાત ગાયક હરિહરને ગાયું છે. આ ગીતમાં પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિમાં ગાલવાન ખીણનું રક્ષણ કરતી વખતે વીરગતિ પ્રાપ્ત કરનારા ભારતીય સૈનિકોની બહાદુરી અને હિંમતને દર્શાવવામાં આવી છે. આ પ્રસંગે ભારતીય સેનાએ કહ્યું હતું કે સૈનિકોનું સર્વોચ્ચ બલિદાન હંમેશા રાષ્ટ્રના સ્મરણમાં રહેશે.

ગલવાન ખીણમાં શહીદ થયેલ કર્નલ બાબુની પ્રતિમાનું અનાવરણ તેલંગાણાના મંત્રી કે.ટી.રમારાવે મંગળવારે પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં શહીદ થયેલ કર્નલ સંતોષ બાબુની કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. કર્નલ બાબુ રાજ્યની રાજધાની હૈદરાબાદથી આશરે 140 કિમી દૂર આવેલા સૂર્યપેટના રહેવાસી હતા. ગયા વર્ષે 15 જૂનના રોજ ગેલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની ભીષણ અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા, જેમાં કર્નલ બાબુ પણ એક હતા. તે 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા.

દેશે ગાલવાનના વીરોને યાદ કર્યા ભારતે મંગળવારે ગલવાનના વીર (Galwan Ke Veer) જવાનોને યાદ કર્યા જેમણે એક વર્ષ પહેલા પૂર્વી લદ્દાખમાં ચીની આક્રમણનો સામનો કરી પોતાના પ્રાણ આપ્યા હતા અને આ પ્રસંગે ગલવાનના બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.ભારતીય સેના (Indian Army) એ કહ્યું, “તેમની વીરતા અને બહાદુરી હંમેશા રાષ્ટ્રની સ્મૃતિમાં કંડારાયેલી રહેશે”. આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેએ જીવલેણ અથડામણની પ્રથમ વર્ષગાંઠ પર 20 સૈનિકોને શ્રધ્ધાંજલિ આપવા દળની આગેવાની કરી હતી.

આ પણ વાંચો : Robot Shalu : અંગ્રજી સહીત 9 ભાષાઓમાં સવાલોના ફટાફટ જવાબ આપે છે સ્વદેશી રોબોટ ‘શાલુ’

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">