AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વતંત્રતા સેનાની હસરત મોહાનીએ લખ્યુ હતુ ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ લખી, ભગતસિંહે કર્યુ હતું પ્રચલીત

હસરત મોહનીએ સૌપ્રથમ 1921માં પોતાની કલમથી ઈન્કલાબ ઝિંદાબાદનો નારા લખ્યો હતો, આ સ્લોગન પાછળથી ખૂબ જ પ્રખ્યાત થયુ હતું, ભગતસિંહે તેમના સમગ્ર ક્રાંતિકારી જીવન દરમિયાન આ સૂત્રનો ઉપયોગ કર્યો હતો.

સ્વતંત્રતા સેનાની હસરત મોહાનીએ લખ્યુ હતુ 'ઇન્કલાબ ઝિંદાબાદ' લખી, ભગતસિંહે કર્યુ હતું પ્રચલીત
Hasrat Mohani
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 5:35 PM
Share

આઝાદીની ચળવળમાં નારાઓની ભૂમિકા ખૂબ મહત્વની હતી, લોકોમાં ઉત્સાહ જગાવવા માટે નારાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો, આવો જ એક નારો હતો ‘ઇન્કલાબ ઝિંદાબાદ’, ભગતસિંહે (Bhagat Singh) તેમના ક્રાંતિકારી જીવનમાં આ નારાનો ઉપયોગ કર્યો હતો. બહુ ઓછા લોકો જાણતા હશે કે આ સ્લોગનનો ઉપયોગ સૌપ્રથમવાર સ્વતંત્રતા સેનાની હસરત મોહાનીએ 1921માં કર્યો હતો, તે તેમની પોતાની કલમથી લખાયેલું સૂત્ર હતું. TV9 ની વિશેષ શ્રેણીમાં, આજે અમે તમને હસરત મોહાની (Hasrat Mohani) અને તેમના દ્વારા લખાયેલા સૂત્ર ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ વિશે જણાવી રહ્યા છીએ.

ઉન્નાવ જિલ્લાના મોહન ગામમાં જન્મ

હસરત મોહનીનો જન્મ 1875માં ઉન્નાવ જિલ્લાના મોહની ગામમાં થયો હતો, તેમનું સાચું નામ ‘સૈયદ ફઝલુલહસન’ અને અટક ‘હસરત’ હતી. પાછળથી તેઓ હસરત મોહનીના નામથી જ ઓળખાયા. તેમનું પ્રારંભિક શિક્ષણ ઘરે જ થયું હતું. 1903માં તેમણે અલીગઢમાંથી બી.એ. કર્યુ હતું.

બ્રિટિશ સરકારની નીતિઓનો વિરોધ કર્યો

બી.એ.ની સાથે જ હસરત મોહનીએ અલીગઢથી ઉર્દુ-એ-મુલ્લા મેગેઝિન કાઢવાનું શરૂ કર્યું, આ મેગેઝિન સંપૂર્ણપણે અંગ્રેજી સરકારની નીતિઓ વિરુદ્ધ હતું, 1904માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને આઝાદીની ચળવળમાં ભાગ લીધો.

અંગ્રેજોએ ધરપકડ કરી

મોહની બ્રિટિશ સરકારની નીતિઓનો સતત વિરોધ કરી રહ્યા હતા, 1907માં તેમણે તેમના મેગેઝિનમાં ‘બ્રિટનની પોલિસી ઇન ઇજીપ્ત’ થી સંબંધિત એક લેખ પ્રકાશિત કર્યો, જેણે અંગ્રેજોને ખૂબ નારાજ કર્યા અને તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા. 1919માં તેમણે ખિલાફત ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો.

ઈન્કલાબ ઝિંદાબાદનો નારા 1921માં લખાયેલો હતો

હસરત મોહનીએ સૌપ્રથમ 1921માં પોતાની કલમથી ઈન્કલાબ ઝિંદાબાદનો નારા લખ્યો હતો, આ સૂત્ર પાછળથી ખૂબ જ પ્રસિદ્ધ થયો હતો, ભગતસિંહે તેમના સમગ્ર ક્રાંતિકારી જીવન દરમિયાન આ સૂત્રનો ઉપયોગ કર્યો હતો જે જનચેતનાને જાગૃત કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થયો હતો.

તેઓ હિન્દુ-મુસ્લિમ એકતાના પક્ષમાં હતા

હસરત મોહાની શરૂઆતથી જ હિંદુ-મુસ્લિમ એકતાના હિમાયતી હતા, તેઓ ગંગાધર તિલક અને ડૉ. ભીમરાવ આંબેડકરના નજીકના મિત્રોમાંના હતા. તેમણે શ્રી કૃષ્ણની ભક્તિમાં કવિતા પણ લખી હતી. ભારતની બંધારણ સભાની રચના દરમિયાન 1946માં તેમને બંધારણ સભાના સભ્ય બનાવવામાં આવ્યા હતા.

વિભાજનનો વિરોધ કર્યો

લેખક, કવિ અને સ્વાતંત્ર્ય સેનાની તરીકે જીવનભર બ્રિટિશ સરકારનો વિરોધ કરનાર હસરત મોહનીએ 1947માં ભારતના ભાગલાનો પણ વિરોધ કર્યો હતો. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે પસંદગી કરવાની વાત આવી ત્યારે હસરત મોહનીએ ભારતમાં જ રહેવાનું નક્કી કર્યું. 13 મે 1951ના રોજ તેમનું અચાનક અવસાન થયું. 2014માં ભારત સરકારે તેમના સન્માનમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે.

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">