AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંજાબ સંભાળી ન શકતા હોય તો કેન્દ્ર ટેકઓવર કરશે : કેપ્ટન અમરિંદર સિંહ

પંજાબના અજનાલામાં હિંસા થઈ રહી હતી, ત્યારે સીએમ ભગવંત માન મુંબઈમાં અરવિંદ કેજરીવાલ સાથે બેઠા હતા. તેમને પંજાબની પરિસ્થિતિમાં રસ નથી. પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે આ મોટા આરોપો લગાવ્યા છે.

પંજાબ સંભાળી ન શકતા હોય તો કેન્દ્ર ટેકઓવર કરશે : કેપ્ટન અમરિંદર સિંહ
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 6:34 PM
Share

પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે આ મામલે મોટું નિવેદન આપ્યું કે, પંજાબમાં જે રીતે અમૃતપાલ સિંહનો ઉદય થઈ રહ્યો છે, તેના પરથી લાગી રહ્યું છે કે આ રાજ્યમાં ખાલિસ્તાન ચળવળની શરૂઆત છે. અજનલામાં, તેમના સમર્થકોએ પોલીસ સ્ટેશનમાં હંગામો કર્યા પછી પરિસ્થિતિ વધુ વણસી હતી. નવાઈની વાત એ છે કે અમૃતપાલની માંગણી સામે પોલીસને પણ ઝુકવું પડ્યું હતું. તેમણે કહ્યું કે “જો (પંજાબ સરકાર) પરિસ્થિતિને સંભાળવામાં સક્ષમ નથી, તો કેન્દ્ર સરકારે રાજ્યનો હવાલો સંભાળવો પડશે.

આ પણ વાચો: Punjab News: પંજાબમાં ભૂતકાળ પાછો માથુ ઉંચકી રહ્યો છે ! ભિંડરાનવાલેના નક્શેકદમ પર અમૃતપાલ, પંજાબ પોલીસ ઝુકી ગઈ ખાલિસ્તાની સમર્થકો સામે

કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે, રોજ ડ્રોન પકડાઈ રહ્યા છે, મને લાગે છે કે કેન્દ્રએ તેની તપાસ કરવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે માન સરકાર કોઈ પણ પગલા ભરતા ડરે છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે, અજનાલા પોલીસને કાર્યવાહી ન કરવાનો આદેશ મળ્યો હોવો જોઈએ.

પંજાબમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી

પંજાબના પૂર્વ કેપ્ટને કહ્યું કે, કોઈ પણ સરકાર આ રીતે નથી ચાલતી, જે મુજબ આ સરકાર કામ કરી રહી છે. અજનાલામાં હિંસા થઈ રહી હતી, તે દિવસે ભગવત માન મુંબઈમાં અરવિંદ કેજરીવાલ સાથે બેઠા હતા. તેમણે કહ્યું કે પંજાબમાં જે પણ થઈ રહ્યું છે તેમાં તેમને રસ નથી. પોલીસ અધિકારીઓને અજનાલામાં કાર્યવાહી ન કરવા સૂચના આપવામાં આવી હશે. પૂર્વ સીએમએ કહ્યું કે, પંજાબમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે.

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ અને તેના સમર્થકોએ શ્રી ગુરુ ગ્રંથ સાહિબનો ઢાલ તરીકે ઉપયોગ કરીને પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને તેમના સાથીઓને મુક્ત કરવાની માંગ કરી હતી. બાદમાં પોલીસે અમૃતપાલ સામે ઝુકવું પડ્યું અને પછી તેના સાથી તુફાન સિંહને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો.

આશ્ચર્યની વાત એ છે કે,  એક મહિના પૂર્વે પંજાબના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે  પંજાબમાં અમૃત પાલનુ કદ વધી રહ્યું છે અને સરકારી નેતૃત્વ અને પોલીસ પ્રશાસન વચ્ચે કમ્યુનિકેશન ગેપ છે, જેના કારણે પડકારો વધી રહ્યા છે. અને વધુ વધી શકે છે.

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">