સાઉથના સુપર સ્ટાર અને હવે રાજનેતા બની ચૂકેલા કમલ હાસને ફરી એક વખત ગાંધીજીની હત્યાનો વિવાદ ઉથલાવ્યો છે. ગાંધીની હત્યા કરનારા નથૂરામને આઝાદ ભારતના પહેલા હિન્દુ આતંકી કહી દીધો છે. કમલ હાસને પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન આ નિવેદન કર્યું છે. કમલ હાસનના આ નિવેદન બાદ વિવાદ જાગી ગયો છે. નથૂરામ ગોડ્સેએ 30 જાન્યુઆરી 1948ના દિવસે રાષ્ટ્રપિતા ગાંધીજીની ગોળી મારીને હત્યા કરી હતી.
ચૂંટણી પ્રચારમાં હાસને કહ્યું કે હું એટલા માટે નથી બોલી રહ્યો કે આ મુસ્લિમ વસ્તી ધરાવતો વિસ્તાર છે. પરંતુ હું આ વાત ગાંધીજીની પ્રતિમાં સામે બોલી રહ્યો છું. આઝાદ ભારતનો પહેલો હિન્દુ આતંકી નથુરામ ગોડ્સે હતો અને ત્યાથી જ આ આતંકીની શરૂઆત થઈ હતી.
તો સમગ્ર મામલે અભિનેતા વિવેદ અબોરૉયએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે સર તમે એક ઉમદા કલાકાર છો. જેવી રીતે કલાનો કોઈ ધર્મ નથી હોતો તેવી રીતે આતંકવાદીનો પણ કોઈ ધર્મ નથી હોતો. તમે ગોડ્સેને આતંકી કહો તેમાં કોઈ સમસ્યા નથી. પણ તેની સાથે ધર્મનું નામ જોડી દેવું તે વોટબેંક મેળવવાની નિશાની છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 7:16 am, Mon, 13 May 19