Education: UGC એ શૈક્ષણિક વર્ષ 2021-22 માં પ્રવેશ અને પરીક્ષા માટેની માર્ગદર્શિકા કરી જાહેર

|

Jul 17, 2021 | 12:40 PM

UGC દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ માટે પરીક્ષા અને પ્રવેશ પ્રક્રિયા માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં CBSE અને ICSE અને રાજ્ય બોર્ડને ધ્યાનમાં રાખીને આ માર્ગદર્શિકા જાહેર કરી છે.

Education: UGC એ શૈક્ષણિક વર્ષ 2021-22 માં પ્રવેશ અને પરીક્ષા માટેની માર્ગદર્શિકા કરી જાહેર
UGC announces guidelines for admission and examination

Follow us on

UGC એ (University Grants Commission) પરીક્ષાની માર્ગદર્શિકા અને શૈક્ષણિક 2021-22 માં પ્રવેશ માટે કેલેન્ડર જાહેર કર્યું છે. આ કેલેન્ડર મુજબ, યુનિવર્સિટીઓએ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે 31 જુલાઈ (July) સુધીમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાની રહેશે.

UGC એ ચાલુ વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર (Education Calendar) અને આગામી પરીક્ષાની માર્ગદર્શિકા (Guideline) જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ, તમામ યુનિવર્સિટીઓએ 31 ઓગસ્ટ, 2021 સુધીમાં અંતિમ વર્ષ અથવા સેમેસ્ટર (Semester) પરીક્ષાઓ પૂર્ણ કરવાની રહેશે. ઉપરાંત, શૈક્ષણિક 2021-22 માં પ્રવેશ માટે UGC એ જણાવ્યું છે કે, વિવિધ યુનિવર્સિટીઓમાં UG ની પ્રવેશ પ્રક્રિયા CBSE, ICSE ની રજુઆતને ધ્યાનમાં રાખીને નવું શૈક્ષણિક સત્ર 1 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે.

અગાઉના ​​પરિપત્રમાં, કમિશને (Commission) નિર્દેશ કર્યો હતો કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, તમામ રાજ્ય બોર્ડ તેમજ CBSE અને ICSE નું પરિણામ 31 જુલાઈ, 2021 સુધીમાં જાહેર કરવામાં આવશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ માર્ગદર્શિકા મુજબ, યુનિવર્સિટીઓને (University) 30 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા અને 1 ઓક્ટોબરથી નવું સત્ર શરૂ કરવા અંગે નિદર્શ કર્યા છે. યુનિવર્સિટીઓમાં ખાલી બેઠકો ભરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર છે. ઉપરાંત, જો ધોરણ-12 ના પરિણામ જાહેર કરવામાં વિલંબ થાય તો યુનિવર્સિટી18 ઓક્ટોબરથી નવા શૈક્ષણિક સત્રની યોજના બનાવી શકે છે.

UGC એ જણાવ્યું હતું કે, કોરોનાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીઓ ઓક્ટોબર સુધીમાં જો કોઈ વિદ્યાર્થી દ્વારા પ્રવેશ પરત ખેંચવામાં આવે તો સંપુર્ણ ફી યુનિવર્સિટીએ (University) પરત કરવાની રહેશે. પરંતુ, જો વિદ્યાર્થી 31 ડિસેમ્બર 2021 સુધીમાં પ્રવેશ રદ કરે છે, તો યુનિવર્સિટીઓ વધુમાં વધુ 1,000 રૂપિયા પ્રોસેસિંગ ફી તરીકે ચાર્જ કરી શકશે.

મહત્વનું છે કે, UGC એ જાહેર કરેલી માર્ગદર્શિકાએ સંબંધિત શિક્ષાત્મક અને વૈધાનિક સંસ્થાઓની કાઉન્સિલની (Council) સલાહને આધારે જાહેર કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : Career In Nursing: તમે નર્સિંગમાં કેરિયર કેવી રીતે બનાવી શકો છો, શું ધ્યાનમાં રાખવું જોઈએ ? જાણો માહિતી

આ પણ વાંચો : UPSC CDS II 2020 Final Result: યુપીએસસી સીડીએસનું ફાઈનલ પરિણામ થયું જાહેર, જાણો કેવી રીતે કરાશે ચેક

Next Article