કોરોના મહામારીમાં ખેતી અને ખેડૂત સંકટમાં, અર્થવ્યવસ્થાને થઈ શકે છે માઠી અસર

|

May 13, 2021 | 2:23 PM

શહેરોની જેમ, ગામડાઓમાં પણ લોકો કોરોના સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ખેતી અને ખેડૂતોને અસર થઈ રહી છે.

કોરોના મહામારીમાં ખેતી અને ખેડૂત સંકટમાં, અર્થવ્યવસ્થાને થઈ શકે છે માઠી અસર
File Photo

Follow us on

વર્ષ 2020 માં કોરોના સંકટની અર્થવ્યવસ્થા પર ભારે અસર પડી હતી. ત્યારબાદ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ -23.9 ટકા નોંધાયો હતો. આવા ખરાબ સમયમાં કૃષિ ક્ષેત્ર સૌથી મોટો ટેકો બનીને આગળ આવ્યો હતો. એકલા આ ક્ષેત્રનો વિકાસ સકારાત્મક રહ્યો. તે પણ 3.4%. કારણ તે સમયે કોરોના વિસ્ફોટ ગામડાઓમાં ન હતો. આ વખતે પરિસ્થિતિઓ વિપરીત છે. શહેરોની જેમ, ગામડાઓમાં પણ લોકો કોરોના સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ખેતી અને ખેડૂતોને અસર થઈ રહી છે.

જાણીતા કૃષિ અર્થશાસ્ત્રી દેવીન્દર શર્મા કહે છે કે, ગામડાઓમાં કોરોના ચેપનો ફેલાવો ફક્ત ખેતી ક્ષેત્રે જ નહીં, પરંતુ સમગ્ર અર્થવ્યવસ્થાને પણ અસર કરશે. તેની કેટલી અસર થશે તે જાણી શકાયું નથી. જ્યારે ઘઉંની લણણી અને વેચાણ થઈ ચૂક્યું છે, પરંતુ હવે તેની અસર ખરીફ સીઝનના મુખ્ય પાક, ડાંગર અને મકાઈ વગેરે પર જોવા મળી શકે છે. આ ખૂબ મોટો પડકાર છે.

માંગ ઓછી હોવાથી ભાવ મળતા નથી
કૃષિ ક્ષેત્ર કોરોના લોકડાઉનનાં પ્રતિબંધોથી મુક્ત છે, પરંતુ તેનો ફાયદો ત્યારે થશે જ્યારે લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. આ સમયે ફળો અને શાકભાજીની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેથી જ ખેડૂતોને સસ્તા ભાવમાં પાક વેચવો પડે છે. શાકભાજીની સપ્લાય ચેઇનને પણ અસર થઈ છે. લગ્ન પ્રસંગમાં મર્યાદિત લોકો અને હોટલ બંધ હોવાને કારણે ફળો અને શાકભાજીની માંગ ઓછી થઈ છે. આવા સમયે ખેડૂતોને વાજબી ભાવ કેવી રીતે મળશે?

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અર્થવ્યવસ્થાને અસર થશે
હવે કોરોના ગામડાઓમાં ફેલાયો છે, જેને લઇને ખેડૂતો ચિંતિત છે. કારણ કે તેઓ પહેલેથી જ આર્થિક સંકટ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આ રોગચાળાથી તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. દેશમાં 14.5 કરોડ ખેડૂત પરિવારો છે. અડધાથી વધુ વસ્તી તેમના આજીવિકા માટે કૃષિ ક્ષેત્ર પર નિર્ભર છે. તેથી, કૃષિ ક્ષેત્રના સ્વાસ્થ્યની સીધી અસર અર્થતંત્ર પર થશે.

Next Article