કેલિફોર્નિયાથી કાશ્મીર સુધી ધરતી ધ્રૂજી, 12 કલાકમાં આ સ્થળોએ નોંધાયા ભૂકંપના આંચકા

છેલ્લા બે દિવસમાં ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ગઈકાલે રાત્રે ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ગઈ હતી. રાજસ્થાનના પાલીમાં પણ મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા ભારતમાં જ નહીં વિદેશમાં પણ અનુભવાયા હતા. ન્યુયોર્ક અને નોર્ધન ન્યુ જર્સી તેમજ નોર્ધન કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

કેલિફોર્નિયાથી કાશ્મીર સુધી ધરતી ધ્રૂજી, 12 કલાકમાં આ સ્થળોએ નોંધાયા ભૂકંપના આંચકા
Earthquake
Follow Us:
| Updated on: Apr 06, 2024 | 9:34 AM

વિશ્વના અનેક દેશોમાં એક પછી એક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સતત ભૂકંપના આંચકાઓને કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે. ગયા ગુરુવાર અને શુક્રવારે ભારતમાં ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શુક્રવાર, 5 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપ રાત્રે લગભગ 11 વાગે આવ્યો હતો. મોડી રાત્રે આવેલા ભૂકંપના કારણે કિશ્તવાડમાં ખળભળાટ મચી ગયો હતો. રાત્રે જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

આ સિવાય રાજસ્થાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં પાલીમાં બપોરે લગભગ 1.29 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 3.7 આસપાસ માપવામાં આવી છે. મોડી રાત્રે અચાનક ધરતી ધ્રુજારીને કારણે લોકોની ઊંઘ ઉડી ગઈ હતી. લોકો ભયના કારણે ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે, અહીં પણ કોઈ પ્રકારના નુકસાનના સમાચાર નથી. આ સિવાય ગુરુવારે રાત્રે હિમાચલમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ન્યુયોર્ક અને ન્યુ જર્સીમાં ભૂકંપના આંચકા

ન્યૂયોર્ક સિટી અને નોર્ધન ન્યૂ જર્સીની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ ન્યુ જર્સીમાં ભૂકંપની તીવ્રતા 4.0 હતી. અહીંના અનેક વિસ્તારોમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. લોકો પોતાનો જીવ બચાવવા ઘરની બહાર આવી ગયા હતા. જો કે ભૂકંપના કારણે કોઈ જાનહાની કે ઇજા થઇ નથી. પરંતુ લોકોમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

ઉત્તરી કેલિફોર્નિયામાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ગઈ

ઉત્તરી કેલિફોર્નિયામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ખાસ વાત એ છે કે આ ભૂકંપ એક કે બે વાર નહીં પરંતુ અલગ-અલગ સમયે 7 વાર ભૂકંપ આવ્યો હતો. એક પછી એક આવતા ભૂકંપના કારણે લોકો ખૂબ જ ડરી ગયા છે. પોતાનો જીવ બચાવવા લોકો ઘરની બહાર નીકળીને સુરક્ષિત સ્થળોએ જતા રહ્યા છે. જોકે, અહીં પણ કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.શુક્રવારે મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 હતી.

તાઈવાનમાં ભૂકંપના કારણે તબાહી મચી ગઈ હતી

થોડા દિવસો પહેલા જ તાઈવાનમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેમાં અનેક લોકોના મોત થયા હતા. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકાથી લોકો ખૂબ જ ડરી ગયા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 25 વર્ષમાં તાઈવાનમાં આવો ખતરનાક ભૂકંપ આવ્યો હતો. જેમાં અનેક ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી. કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા છે. તેમને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">