રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન, ભારતીય ખેડૂતોનું ઉત્પાદન વિશ્વને મદદ કરી રહ્યું છે: નરેન્દ્ર સિંહ તોમર

|

May 12, 2022 | 10:46 PM

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે કોરોના (COVID) રોગચાળા દરમિયાન ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. જ્યારે સરકારે ડાંગર અને ઘઉંના પાકનું ઉત્પાદન વધારીને રેકોર્ડ ખરીદી કરી હતી.

રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન, ભારતીય ખેડૂતોનું ઉત્પાદન વિશ્વને મદદ કરી રહ્યું છે: નરેન્દ્ર સિંહ તોમર
ફાઈલ ફોટો

Follow us on

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્ર સિંહ (Narendra Singh Tomar) તોમરે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે કોરોના (COVID) રોગચાળા દરમિયાન ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. ઉદ્યોગ સંગઠન FICCI દ્વારા આયોજિત ‘8માં ઈન્ડિયા માઈઝ સમિટ 2022’ને સંબોધતા નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું, કે કોરોના રોગચાળા દરમિયાન ખેડૂતોએ બમ્પર અનાજનું ઉત્પાદન (Food grains) કર્યું હતું. જ્યારે સરકારે ડાંગર અને ઘઉંના પાકનું ઉત્પાદન વધારીને રેકોર્ડ ખરીદી કરી હતી. તેમણે કહ્યું કે વર્તમાન સમયગાળામાં ભારતની કૃષિ પેદાશોની નિકાસ પણ રૂ. 4 લાખ કરોડને પાર કરી ગઈ છે, જે પ્રોત્સાહક છે. તોમરે જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે વૈશ્વિક માંગ વધી હોવાથી ભારત મોટા પાયે ઘઉંની નિકાસ કરી રહ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન ભારતીય ખેડૂતોનું ઉત્પાદન વિશ્વને ઉપયોગી થઈ રહ્યું છે.

કૃષિ ક્ષેત્રમાં રોકાણ વધારવાની જરૂર છે

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, ભારત કૃષિ પર આધારિત છે. દેશની મોટાભાગની વસ્તી ખેતી પર નિર્ભર છે. તેમણે કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્રની ઉચ્ચ વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે આ ક્ષેત્રમાં રોકાણ વધારવાની અને આધુનિક તકનીકો રજૂ કરવાની જરૂર છે. કૃષિ મંત્રીએ કહ્યું કે, ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસો કરતી વખતે સરકારે પીએમ કિસાન સહિત ઘણા સુધારા કાર્યક્રમો શરૂ કર્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પરિષદમાં મકાઈની ખેતી વિશે બોલતા કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે, મકાઈની જરૂરિયાત અને ઉપયોગિતા વિશે સૌ કોઈ જાણે છે. ઘઉં અને ચોખા પછી મકાઈ એક એવો પાક છે, જે સૌથી વધુ ઉગાડવામાં આવે છે. ખાદ્ય અનાજની સાથે, તે મરઘાંના ખોરાક, ઇથેનોલમાં પણ જોવા મળે છે. તે બહુમુખી પાક છે. તેમણે કહ્યું કે, ભારત સરકાર અત્યારે પાકમાં વૈવિધ્યકરણની વાત કરે છે ત્યારે અમે ઘઉં અને ડાંગરના ખેડૂતો મકાઈના પાક તરફ આકર્ષાય તેની ખાતરી કરીએ છીએ. મકાઈના સારા ભાવ મેળવવા, મકાઈ આધારિત પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તે જ સમયે, કૃષિ મંત્રાલય દ્વારા MSP વધારવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે.

Next Article