યોગ ગુરુ Ramdev ના એલોપથી અને ડોક્ટરો અંગેના નિવેદનથી વિવાદ વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને રવિવારે યોગગુરુ રામદેવને પત્ર લખીને નિવેદન પાછું લેવા માંગ કરી છે. હર્ષવર્ધને યોગ ગુરુ રામદેવના નિવેદનને કોરોના યોધ્ધાનું અપમાન અને કોરોના સામે લડત લડતા તબીબો માટે કમનસીબ ગણાવ્યું છે.
યોગ ગુરુ Ramdev નું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ IMA સહિતના ડોકટરોની વિવિધ સંસ્થાઓએ રામદેવ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો કે પછી પતંજલિ યોગપીઠે એક નિવેદનમાં કહ્યું હતું કે આ અંગે બાબા રામદેવનો હેતુ ખોટો નથી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ Ramdev ને લખેલા પત્રમાં કહ્યું છે કે, એલોપેથિક દવાઓ અને ડોકટરો અંગેની તમારી ટિપ્પણીથી દેશવાસીઓ ખૂબ દુ:ખી છે. મેં તમને ફોન પરની આ લાગણીથી પહેલેથી જ વાકેફ કર્યા છે. કોરોના સામે રાત દિવસ લડતા ડોકટરો અને અન્ય આરોગ્ય કર્મચારીઓ ભગવાન તુલ્ય છે.
દેશવાસીઓની લાગણીઓને પણ ઠેસ પહોંચાડી
તમારા નિવેદને માત્ર કોરોના યોદ્ધાઓનો અનાદર જ નથી કર્યો પરંતુ દેશવાસીઓની લાગણીઓને પણ ઠેસ પહોંચાડી છે. ગઈકાલે તમે જે સ્પષ્ટતા બહાર પાડી છે તે લોકોની દુભાયેલી લાગણીઓ માટે અપૂરતી છે.
संपूर्ण देशवासियों के लिए #COVID19 के खिलाफ़ दिन-रात युद्धरत डॉक्टर व अन्य स्वास्थ्यकर्मी देवतुल्य हैं।
बाबा @yogrishiramdev जी के वक्तव्य ने कोरोना योद्धाओं का निरादर कर,देशभर की भावनाओं को गहरी ठेस पहुंचाई।
मैंने उन्हें पत्र लिखकर अपना आपत्तिजनक वक्तव्य वापस लेने को कहा है। pic.twitter.com/QBXCdaRQb1
— Dr Harsh Vardhan (@drharshvardhan) May 23, 2021
કોરોના સામેની લડાઈ સામૂહિક પ્રયત્નોથી જ જીતી શકાય
તેમણે વધુમાં કહ્યું, “તમે કહ્યું કે દુર્ભાગ્ય છે કે કરોડો કોરોના દર્દીઓ એલોપથીની દવા ખાવાથી મરી ગયા.” આપણે ભૂલવું ન જોઈએ કે કોરોના રોગચાળા સામેની આ લડાઈ ફક્ત સામૂહિક પ્રયત્નોથી જ જીતી શકાય છે. જે રીતે આપણા ડોકટરો, નર્સો અને અન્ય આરોગ્ય કર્મચારીઓ દિવસ અને રાત પોતાનો જીવ જોખમમાં મૂકીને જીવન બચાવવા માટે મહેનત કરે છે. તે તેમની ફરજ અને માનવ સેવા પ્રત્યેની વફાદારીનું એક અજોડ ઉદાહરણ છે.
ડો.હર્ષવર્ધને યોગ ગુરુ Ramdev ના નિવેદન પર વધુમાં કહ્યું કે એલોપથી થેરેપીને કોરોના સારવાર તમાસો,બેકાર અને દિવાળું કાઢનારી ગણાવી તે કમનસીબ છે. તમારું નિવેદન ડોકટરોનું મનોબળ તોડવા અને કોરોના સામેની લડતને નબળી પાડનારું સાબિત થઈ શકે છે.
વિશ્વભરના કોરોના યોધ્ધાઓની ભાવનાઓને માન આપો
બાબા રામદેવને સમગ્ર નિવેદન પરત લેવાનું કહેતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું, “આશા છે કે, તમે તમારા વાંધાજનક અને દુર્ભાગ્યપૂર્ણ નિવેદનને સંપૂર્ણ રીતે પાછું ખેંચી લેશો. તેની ગંભીરતાને ધ્યાનમાં લેતા અને વિશ્વભરના કોરોના યોધ્ધાઓની ભાવનાઓને માન આપશો.
Published On - 8:13 pm, Sun, 23 May 21