આ TEMPLEમાં એટલું બધુ દાન આવ્યું કે, 2 દિવસથી ગણી રહ્યા છે છતાં પણ નથી ગણાઈ રહ્યા પૈસા

|

Feb 12, 2021 | 11:02 AM

દુનિયામાં ભારત આસ્થાનું કેન્દ્ર અને પ્રતીક માનવામાં આવે છે. આ પાછળનું કારણ એ છે કે, આસ્થાને મામલે ભારતીયોની તુલનામાં કોઈ આવી શકતું નથી. લાખો મુશ્કેલી હોવા છતાં પણ જયારે મંદિર(TEMPLE) જાય છે ત્યારે અચૂક ફળ-ફૂલ મીઠાઈ અને પૈસા ચડાવવાનું નથી ભૂલતા.

આ TEMPLEમાં એટલું બધુ દાન આવ્યું કે, 2 દિવસથી ગણી રહ્યા છે છતાં પણ નથી ગણાઈ રહ્યા પૈસા
મંદિરમાં આવ્યુ દાન

Follow us on

દુનિયામાં ભારત આસ્થાનું કેન્દ્ર અને પ્રતીક માનવામાં આવે છે. આ પાછળનું કારણ એ છે કે, આસ્થાને મામલે ભારતીયોની તુલનામાં કોઈ આવી શકતું નથી. લાખો મુશ્કેલી હોવા છતાં પણ જયારે મંદિર(TEMPLE) જાય છે ત્યારે અચૂક ફળ-ફૂલ મીઠાઈ અને પૈસા ચડાવવાનું નથી ભૂલતા. હાલમાં જ મંદિરમાં કરોડો રૂપિયાના દાનની ખબર આવી છે. આ ખબર રાજસ્થાનના એક મંદિરમાંથી આવી છે.

રાજસ્થાનના મેવાડમાં આવેલા પ્રસિદ્ધ તીર્થ શ્રી સાંવલિયા શેઠ મંદિરમાં દાનની પેટી ખોલી ગઈ હતી. આ બાદ જે થયું તે આખા દેશમાં છવાઈ ગયું છે. એક દિવસ મંદિરમાં કર્મચારી લગભગ 6 કરોડ રૂપિયાની ગણતરી કરી ચુકી છે. પરંતુ આ ગણતરી હજુ પણ ચાલુ છે. કોરોના કાળમાં આ ચોથી વાર છે જયારે મંદિરમાં રેકોડબ્રેક પૈસા દાનમાં આવ્યા હોય.

શ્રી સાંવલિયા શેઠના મંદિરમાં રાખવામાં આવેલ આ દાનપેટી ખોલતી વખતે મંદિર મંડળના સીઈઓ અને જિલ્લા કલેક્ટર રતનકુમાર સ્વામી, મંડળ મંડળ બોર્ડના અધ્યક્ષ કન્હૈયાદાસ વૈષ્ણવ અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ડોનેશન બોક્સમાં આટલું દાન જોઈને ઘણા લોકો તેમની આંખો પર વિશ્વાસ કરી શક્યા નહીં. દાન પેટીમાં રાખેલી રકમની ગણતરી કરવામાં બે દિવસ લાગ્યાં અને લોકો કંટાળી ગયા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રિપોર્ટ અનુસાર, પહેલા દિવસની ગણતરીમાં આશરે 6.17 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે. તો 91 ગ્રામ સોનું અને 23 કિલો ચાંદી પ્રાપ્ત કરવામાં આવી છે. આ સાથે ઓફિસ રૂમમાં રોકડ રકમ અને 71.83 લાખની રકમ ઓનલાઈન જણાવાઈ રહી છે. મંદિર સમિતિના જણાવ્યા મુજબ ગણતરીમાં 2.80 કરોડની 2 હજારની નોટો અને લગભગ 3 કરોડ 500-500 ની નોટો મળી આવી છે. જ્યારે 8 બોરીઓ 50-100 અથવા અન્ય સિક્કાથી ભરાય ગયા છે.

Next Article