મોદી સરકારના 10 ટકા સવર્ણ અનામતના કાયદાને મળ્યો પહેલો ન્યાયિક પડકાર, જાણો કઈ કોર્ટે પાઠવી નોટિસ ?

|

Jan 21, 2019 | 12:18 PM

તાજેતરમાં મોદી સરકારના 10 ટકા અનામત લઈને વિવિધ રાજ્યોમાં તેને સ્વીકારવાની પ્રક્રિયા ચાલી રહીછે. ગુજરાત સરકારે મકર સંક્રાતિના દિવસે જ આ અનામત લાગુ કરી દેવાનો આદેશ આપ્યો હતો. વિવિધ રાજ્યોમાં 10 ટકા આરક્ષણને લાગુ કરવું કે નહીં તેને લઈને વિચારણા ચાલી રહી છે.  હાલમાં ભાજપ શાસિત રાજ્યો આ અનામતને તાત્કાલિક લાગુ કરાવીને મોદી સરકારનું ગરીબો […]

મોદી સરકારના 10 ટકા સવર્ણ અનામતના કાયદાને મળ્યો પહેલો ન્યાયિક પડકાર, જાણો કઈ કોર્ટે પાઠવી નોટિસ ?

Follow us on

તાજેતરમાં મોદી સરકારના 10 ટકા અનામત લઈને વિવિધ રાજ્યોમાં તેને સ્વીકારવાની પ્રક્રિયા ચાલી રહીછે. ગુજરાત સરકારે મકર સંક્રાતિના દિવસે જ આ અનામત લાગુ કરી દેવાનો આદેશ આપ્યો હતો.

વિવિધ રાજ્યોમાં 10 ટકા આરક્ષણને લાગુ કરવું કે નહીં તેને લઈને વિચારણા ચાલી રહી છે.  હાલમાં ભાજપ શાસિત રાજ્યો આ અનામતને તાત્કાલિક લાગુ કરાવીને મોદી સરકારનું ગરીબો માટે ઐતહાસિક પગલું ગણી રહ્યા છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

મદ્રાસ હાઈકોર્ટમાં ડીએમકે સંગઠનના સચિવ આર એસ ભારતીએ અરજી કરી હતી. જેને લઈને મદ્રાસ હાઈકોર્ટે તાત્કાલિક આદેશ આપીને મોદી સરકારને 18 ફેબ્રુુઆરી સુધીમાં જવાબ આપવા ફરમાન કર્યું છે.

ડીએમકે નેતા આરએસ ભારતી

ડીએમકેના નેતા આર એસ ભારતીએ કોર્ટમાં  આપેલી અરજીમાં કહ્યું છે કે આરક્ષણ કોઈ ગરીબી નિર્મુલનનો કાર્યક્રમ નથી.  આરક્ષણ  એ  સામાજિક ન્યાયની પ્રક્રિયા છે જેના દ્વારા એવા સમાજને આગળ વધવાનો મોકો મળે છે જેને ઘણાં સમયથી શિક્ષણ અને રોજગાર મેળવવામાં તકલીફ પડી રહી છે.  ડિએમકે નેતા આર એસ ભારતીએ વધુમાં કહ્યું હતું કે આ આર્થિક આધારે આપવામાં આવેલું આરક્ષણ એ એવા લોકોના સમાનતાના અધિકારની વિરુદ્ધ છે જે વરસોથી શિક્ષા અને રોજગારથી વંચિત રહ્યા છે.  આર્થિક આધારે અનામત આપવું તે સંવિધાનના સમાનતાના અધિકારની વિરુદ્ધ છે.

ડીએમકેના વકીલ પી વિલ્સન કહે છે કે એ વાત બધાને ખબર છે કે સુપ્રિમ કોર્ટે અનામત સીમા 50 ટકા સુધી જ નક્કી કરેલી છે.  છતાં પણ તમિલનાડુ રાજ્યમાં પછાત લોકો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના લીધે આ અનામત સીમા 50 ટકાથી વધારીને 69 ટકા સુધી જવામાં આવી છે. જેને અધિનિયમ 1993ની નવમી સુચીમાં રાખવામાં આવ્યું છે.

ડીએમકેનું કહેવું છે કે રાજ્યમાં 69 ટકા આરક્ષણ હોવાથી વધારે આરક્ષણ આપી શકાય તેમ નથી. જ્યારે મોદી સરકાર દ્વારા અપાયેલ 10 ટકા આરક્ષણ લાગુ કરવામાં આવે તો તે સીમા વધીને 79 ટકા થઈ જાય જે અસંવૈધાનિક છે.  અરજીકર્તાએ માગણી કરી છે કે અદાલત દ્વારા આ આર્થિક આધારે આરક્ષણના નવા નિયમ પર અદાલત દ્વારા પ્રતિબંધ મુકી દેવામાં આવે.  આ બાબતે મદ્રાસ હાઈકોર્ટે સરકારને નોટીસ મોકલીને જવાબ આપવા આદેશ કર્યો છે.

[yop_poll id=721]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article