Jahangirpuri Violence: જહાંગીરપુરી હિંસાનો આરોપી સોનુ ઈમામને રોહિણી કોર્ટે 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

|

Apr 19, 2022 | 6:33 PM

અસ્થાના સાથેની તેમની બેઠકમાં ભાજપના (BJP) નેતાઓએ જહાંગીરપુરી હિંસાને નિયંત્રિત કરવામાં પોલીસની ભૂમિકાની પ્રશંસા કરી અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માગ કરી.

Jahangirpuri Violence: જહાંગીરપુરી હિંસાનો આરોપી સોનુ ઈમામને રોહિણી કોર્ટે 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો
Delhi Violence Accused Sonu Imam

Follow us on

જહાંગીરપુરી હિંસા (Jahangirpuri Violence) કેસના આરોપી સોનુ ઈમામ ઉર્ફે યુનુસને રોહિણી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સોનુને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જહાંગીરપુરીની વર્તમાન સ્થિતિ અંગે દિલ્હી પોલીસના (Delhi Police) વિશેષ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) દીપેન્દ્ર પાઠકે કહ્યું કે પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે. અમે અહીં મોટી માત્રામાં પોલીસ ફોર્સ તૈનાત કરી છે. અમે દરેક પ્રકારની ગતિવિધિઓ પર પણ નજર રાખી છે. હથિયારો સાથે દેખાતા તમામની ધરપકડ કરવામાં આવી છે.

ઉત્તર પશ્ચિમ દિલ્હીના ભારતીય જનતા પાર્ટીના સાંસદ હંસ રાજ હંસએ મંગળવારે દાવો કર્યો હતો કે તાજેતરની અથડામણો બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનની ભારત મુલાકાત પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ છે. બ્રિટિશ વડાપ્રધાન જોન્સન આ અઠવાડિયે ભારતની મુલાકાતે આવવાના છે.

હંસ રાજ હંસના મતવિસ્તારમાં તાજેતરમાં હનુમાન જયંતિની શોભાયાત્રા દરમિયાન હિંસા થઈ હતી. હંસ, દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રામવીર સિંહ બિધુરી સાથે, ઉત્તર પશ્ચિમ દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં કોમી અથડામણની તપાસના સંદર્ભમાં પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને મળ્યા હતા.

સ્થાનિકો અને બહારના લોકોએ દેશ અને વડાપ્રધાનની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો

બ્રિટિશ વડાપ્રધાન ભારત આવી રહ્યા છે, તેથી કેટલાક સ્થાનિકો તેમજ કેટલાક બહારના લોકોએ દેશ અને વડાપ્રધાનની છબીને બગાડવાનો પ્રયાસ કર્યો, હંસે પત્રકારોને જણાવ્યું હતું. વડાપ્રધાન ભારતને વિશ્વનો નંબર વન દેશ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. તેઓ એક આંતરરાષ્ટ્રીય હસ્તી બની ગયા છે. જે લોકો દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરે છે તેઓ શાંતિ અને સૌહાર્દ માટે ખતરો છે અને આ વખતે તેમને બક્ષવામાં આવશે નહીં.

અસ્થાના સાથેની તેમની બેઠકમાં ભાજપના નેતાઓએ જહાંગીરપુરી હિંસાને નિયંત્રિત કરવામાં પોલીસની ભૂમિકાની પ્રશંસા કરી અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માગ કરી. ગુપ્તાએ કહ્યું કે તેમણે પોલીસ કમિશનરને આ કેસમાં મુખ્ય આરોપી આમ આદમી પાર્ટીનો કાર્યકર છે કે કેમ તેની તપાસ કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે તેમણે તમામ આરોપીઓના ગેરકાયદેસર ધંધા અને ગુનાહિત પૃષ્ઠભૂમિની તપાસ કરવાની પણ વિનંતી કરી છે.

આ પણ વાંચો : સૈન્ય ઓપરેશન્સના નવા ડિરેક્ટર જનરલ તરીકે લેફ્ટનન્ટ જનરલ મનોજ કુમાર કટિયારની નિમણૂક કરવામાં આવી, 1 મેથી ચાર્જ સંભાળશે

આ પણ વાંચો : Corona Virus: બાળકો પર કોરોનાની નવી લહેરનો ખતરો વધ્યો! ગૌતમ બુદ્ધ નગરમાં 107 નવા કેસમાં 33 બાળકોનો સમાવેશ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 6:32 pm, Tue, 19 April 22

Next Article