દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આ લોકો ઘરે બેસીને કરી શકશે મતદાન, વાંચો વિગત

|

Jan 07, 2020 | 8:22 AM

ચૂંટણી પંચે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. 8 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ સામે આવશે કે દિલ્હીમાં કોની સરકાર બનશે. નિષ્પક્ષ ચૂંટણીની તૈયારી માટે ચૂંટણી પંચે વિશેષ વ્યવસ્થા કરી છે. રાજધાનીમાં રહેતાં 80 વર્ષથી વધારે ઉંમરના વુદ્ધો અને દિવ્યાંગ મતદાતાઓને મતદાન મથક સુધી નહીં જવુ પડે, તેના માટે ચૂંટણી પંચે […]

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આ લોકો ઘરે બેસીને કરી શકશે મતદાન, વાંચો વિગત

Follow us on

ચૂંટણી પંચે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. 8 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ સામે આવશે કે દિલ્હીમાં કોની સરકાર બનશે. નિષ્પક્ષ ચૂંટણીની તૈયારી માટે ચૂંટણી પંચે વિશેષ વ્યવસ્થા કરી છે. રાજધાનીમાં રહેતાં 80 વર્ષથી વધારે ઉંમરના વુદ્ધો અને દિવ્યાંગ મતદાતાઓને મતદાન મથક સુધી નહીં જવુ પડે, તેના માટે ચૂંટણી પંચે બેલેટની વ્યવસ્થા કરી છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

વિશેષ પરિસ્થિતીમાં પોસ્ટલ બેલેટની સુવિધા

1. જો મતદાતા સેના કે સરકાર માટે કામ કરવાના કારણે અથવા ચૂંટણીમાં ફરજ બજાવવાના કારણે રાજ્યમાંથી બહાર છે તો તેમને પોસ્ટલ બેલેટની સુવિધા મળશે.

2. Preventive Detention એટલે કે અટકાયતને લઈ કસ્ટડીમાં લેવામાં આવેલા મતદાતાઓને પણ પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ વખતે દિલ્હીની ચૂંટણીમાં વુદ્ધો અને દિવ્યાંગ મતદાતાઓને પણ પોસ્ટલ બેલેટની સુવિધા મળશે

ચૂંટણી પંચ પહેલા જ ચૂંટણીના વિસ્તારમાં પોસ્ટલ બેલેટ દ્વારા મત કરનારા લોકોની ગણતરી કરી લે છે. ખાલી પોસ્ટલ બેલેટ ઈલેક્ટ્રોનિક માધ્યમોથી મતદાતા સુધી પહોંચાડવામાં આવે છે. ઈલેક્ટ્રોનિક માધ્યમના અભાવમાં પોસ્ટ વિભાગ દ્વારા મોકલવામાં આવે છે. જો મતદાતા કોઈ કારણસર પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરી શકતો નથી તો તેને પરત લેવામાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ચૂંટણી પંચના સૂચન પર કેન્દ્રીય કાયદા મંત્રાલયે 22 ઓક્ટોબર 2019એ ચૂંટણી નિયમ 1961માં સંશોધન કર્યુ. આ સંશોધનમાં દિવ્યાંગ અને 80 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોને ‘ગેરહાજર મતદાર યાદી’માં સામેલ કરવાની અનુમતિ મળી. ગેરહાજર મતદાર તેમને કહેવામાં આવે છે કે જે મતદાન કેન્દ્ર સુધી પહોંચવામાં અસમર્થ હોય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દિવ્યાંગ અને વુદ્ધ મતદાતાઓને આ સુવિધાનો લાભ અપાવવા માટે ચૂંટણી અધિકારી પહેલા જ ફોર્મ 13Aમાં તેમનું નામ દાખલ કરશે. આ બંને જ મતદાન મથક પર પહોંચવામાં અસમર્થ હોય છે. આ સુવિધા પછી પણ જો દિવ્યાંગ અને વુદ્ધ મતદાન કેન્દ્ર પર જાય છે તો તેમને વ્હીલ ચેયર સિવાય લાઈન વગર મતદાન કરવાની સુવિધા મળશે.

આ પણ વાંચો: BIG BREAKING: દિલ્હી JNUમાં થયેલી હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા, ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article