13 ઓક્ટોબરથી દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ લોકો માટે ફરીથી શરૂ થશે. પ્રારંભિક તબક્કે મંદિરમાં સાંજે 5 વાગ્યાથી સાંજે 6.30 સુધી પ્રવેશ મળશે. મુલાકાતીઓ માટે સાંજે 7.15 વાગ્યાથી મંદિર દર્શન, વોટર શો, ગાર્ડન, ફૂડ કોર્ટ અને બુક્સ-ગીફ્ટ સેન્ટર ઉપલબ્ધ થશે. જોકે અભિષેક પૂજા અને મંદિર પરિસરમાં આવેલ પ્રદર્શન બંધ રહેશે. કોવિડ-19 મહામારીના પ્રોટોકોલ અનુસાર અક્ષરધામની મુલાકાત સમયે મુલાકાતીઓએ માસ્ક પહેરવાનું રહેશે. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે. પરિસરમાં પ્રવેશના સમયે થર્મલ સ્ક્રીનિંગ અને હેન્ડ સેનેટાઈઝેશન ફરજિયાત છે. મુલાકાતીના શરીરનું તાપમાન પ્રવેશ સમયે સામાન્યથી વધુ જણાશે કે કોરોનાના કોઈ લક્ષણ જણાશે તો તેને પ્રવેશ આપવામાં આવશે નહિ. મુલાકાતીઓને આ અંગેની વધુ માહતી akshardham.com પરથી મળશે. જો કે ગાંધીનગરનું અક્ષરધામ હાલમાં બંધ રહેશે, જ્યારે BAPS સંસ્થાના અન્ય શિખરબદ્ધ મંદિરોમાં પણ ભક્તોને પ્રવેશ નહીં મળે.
આ પણ વાંચો: રાજકોટમાંથી ઝડપાયો નકલી ડોક્ટર, ધો.10 સુધીનો અભ્યાસ છતા ચલાવતો હતો ક્લિનીક
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો