વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતમાં ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. ત્રણ વર્ષ પહેલા ઘોઘા-દહેજ રૂટ વડા પ્રધાન દ્વારા શરૂ કરવામાં આવી હતી જે ટેક્નિકલ બાબતોના કારણે ટુકજ સમયમાં ઠપ્પ થઇ ગઈ હતી. ખંભાતના અખાતના કિનારે વસેલા ભાવનગરની દક્ષિણ ગુજરાત વચ્ચે મોટી સંખ્યામાં મુસાફરો અવર જવર કરે છે. સમુદ્રના કારણે બે વિસ્તારો વચ્ચેનું અંતર અને સફર ખુબ વધી જાય છે. આવતા-જતા મુસાફરોને દરિયાઇ માર્ગ આપીને ખંભાતના અખાતને જોડવા રોપેક્સ સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે
ઘોઘા એક પ્રાચીન બંદર અને હાજિરાવ્યાપારી ગ્રીનફિલ્ડ બંદર છે. રોપેક્સનું ઉદઘાટન વડા પ્રધાન મોદી કરશે. યાત્રા લગભગ 60 કિલોમીટર લાંબી છે. જમીન દ્વારા માર્ગ લગભગ 400 કિ.મી. થાય છે . ઓક્ટોબર 2017 માં વડા પ્રધાન મોદી દ્વારા ઉદઘાટન કરાયેલ પ્રથમ ફેરી રૂટ ઘોઘાને દહેજ સાથે જોડતું હતું જે માર્ગ આશરે 32 કિલોમીટરનો હતો અને દહેજ પીસીપીઆઇઆર અને ભરૂચ શહેરને જોડતો હતો. ઘોઘા અને દહેજ વચ્ચે રોપેક્સ ફેરી માટે કનેક્ટિવિટી બનાવવા માટે 650 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. બીજા રૂટ માટે હજીરા ખાતેના ટર્મિનલને અદાણી હજીરા પોર્ટ પ્રા.લિ. દ્વારા 11 મહિના માટે લીઝ પર આપવામાં આવી છે.
ઓક્ટોબર 2018 માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા રો-પેક્સ જહાજ “વોયેજ સિમ્ફની” નું ઉદ્ઘાટન કર્યું હતું, જે સુરત સ્થિત ફેરી ઓપરેટર દ્વારા દક્ષિણ કોરિયાથી ખરીદવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર ૨૦૧૯માં ફેરી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ ફેરીએ ઘોઘા અને દહેજ વચ્ચે 2.8 લાખ મુસાફરો, 45000 કાર, 12500 ટ્રક અને 26000 ટુ વ્હીલર્સ વહન કર્યું હતું. આ એક વર્ષની અંદર જહાજ પણ ત્રણ વખત ખોટકાઈ ગયું હતું.
ઈન્ડિગો સીવેઝ સુરત સ્થિત ડિટોક્સ જૂથ દ્વારા સંચાલિત છે જે ઘોઘા-દહેજ રૂટ પર ફેરી કનેક્ટિવિટી પૂરી પાડતી હતી, તે ઘોઘા-હજીરા રૂટ માટે તૈયાર કરવામાં આવી છે. 5 નવેમ્બરના રોજ ઘોઘા-દહેજ રૂટ પર દોડતું જહાજ વોયેજ સિમ્ફની 8 નવેમ્બરના લોન્ચિંગ માટે હજીરા પહોંચી ગયું છે આ માટે ફેરી ઓપરેટર, દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે સંકળાયેલ ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 2:30 pm, Sat, 7 November 20