‘વાયુ’ વાવાઝોડાને પગલે ગીર-સોમનાથ જિલ્લામાં એલર્ટ, ગુજરાતના વાતાવરણમાં પણ આવ્યો પલટો

|

Jun 10, 2019 | 12:25 PM

ગુજરાતમાં વાવાઝોડાને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે. સરકારે આ વાવાઝોડાને પહોંચી વળવા માટે ખાસ કંટ્રોલ રુમ કાર્યરત કરવાની પણ યોજના બનાવી છે. તકેદારીના ભાગરુપે ગીર-સોમનાથ જિલ્લાના તમામ તાલુકાને એલર્ટ કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હાલ 1000 કિમી વાવાઝોડું દૂર છે અને તે 12 જૂનના રોડ મોડી […]

વાયુ વાવાઝોડાને પગલે ગીર-સોમનાથ જિલ્લામાં એલર્ટ, ગુજરાતના વાતાવરણમાં પણ આવ્યો પલટો

Follow us on

ગુજરાતમાં વાવાઝોડાને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે. સરકારે આ વાવાઝોડાને પહોંચી વળવા માટે ખાસ કંટ્રોલ રુમ કાર્યરત કરવાની પણ યોજના બનાવી છે. તકેદારીના ભાગરુપે ગીર-સોમનાથ જિલ્લાના તમામ તાલુકાને એલર્ટ કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હાલ 1000 કિમી વાવાઝોડું દૂર છે અને તે 12 જૂનના રોડ મોડી સાંજે ત્રાટકી શકે છે.

આ પણ વાંચો: અતિભારે વરસાદ સાથે ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું, હવામાન વિભાગે કરી આગાહી

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ગાંધીનગર ખાતે પણ વાયુ વાવાઝોડાના પગલે વેધર વોચ ગ્રુપની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં મહેસુલ વિભાગના અધિકારીઓ સહિત, હવામાન વિભાગના અધિકારી પણ હાજરી આપશે. આ મિટીંગમાં વાવાઝોડાની આશંકાને પગલે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમરેલીમાં જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બધા જ બંદરોને એલર્ટ રહેવા તાકીદ કરાઈ છે. મોટાભાગની બોટને પરત બોલાવી લેવાઈ છે. પોરબંદર અને દ્વારકા સહિતના દરિયાકાંઠાના કલેકટરો પણ વિશેષ સૂચના આપવામાં આવી છે. જો જરુર પડશે તો એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવશે. વાવાઝોડાથી ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને લોકોને ગરમીથી રાહત મળી રહી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article