બંગાળની ખાડી ઉપર બનેલું ઓછા દબાણ વાળું ચક્રવાતી તોફાન (Cyclonic Storm)માં બદલાઈ શકે છે. અનુમાન છે કે આ તોફાન ૨૫ નવેમ્બરે તામીલનાડુ અને પોંડીચેરી (Tamilnadu and Puducherry)ના કિનારા પરથી પસાર થઇ શકે છે. આ તોફાનનું નામ “નિવાર” (Cyclone Nivar) રાખવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાતના સમયગાળામાં 100થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, એવામાં તામીલનાડુ અને પોંડીચેરીના ઘણા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. માછીમારોને સમુદ્રમાં નહિ જવા માટેની તાકીદ કરવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓએ કહ્યું છે કે તેમને એ માછીમારોને પણ સલાહ આપી છે કે જે માછલી પકડવા માટે પેહલેથીજ દરિયામાં જવા માટે નીકળી ગયા છે.
બે તોફાનનો ખતરો
જણાવી દઈએ કે ભારત પર બે ચક્રવાતી તોફાનોનો ખતરો મંડરાયેલો હતો. અરબી સમુદ્રમાં ‘ગતિ’ નામના ઉઠેલા વાવાઝોડા આફ્રિકા દેશ સોમાલિયામાં ટકરાઈને શાંત થઇ ગયું છે, તેવામાં હવે ભારત પર તેનો પ્રભાવ હવે નહિ બરાબર છે. જો કે બંગાળની ખાડીમાં ઉઠેલા નિવાર નામનું વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે.
હાલમાં ક્યાં છે તોફાન?
બંગાળની ખાડીમાં ઉઠેલું આ તોફાન સતત આગળ વધી રહ્યું છે. હાલમાં પોંડીચેરીથી આ તોફાન ૬૦૦ કિલોમીટર દક્ષિણમાં છે, જ્યારેકે ચેન્નાઈથી દક્ષિણ પૂર્વમાં 630 કિલોમીટર દુર છે. આગળના ૨૪ કલાકમાં આ ચક્રવાત તોફાનમાં બદલાઈ જશે.
ક્યારે ટકરાશે કાંઠા પર?
હવામાન વિભાગના તાજા બુલેટીનમાં જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં ઉત્તર-પશ્ચિમની તરફ આ વધી રહ્યું છે. સંભાવના છે કે 25 નવેમ્બર બપોરમાં આ તોફાન તામીલનાડુ અને પોંડીચેરીના કાંઠા વિસ્તારોને પાર કરી જશે. આ સમયગાળા દરમિયાન 100-120 કિલોમીટરની પવનની ઝડપનો અંદાજ બાંધવામાં આવ્યો છે. સંભવિત વાવાઝોડાના તંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 11:26 am, Mon, 23 November 20