Covid 19 Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,150 નવા કેસ નોંધાયા, 954 લોકો સાજા થયા

|

Apr 17, 2022 | 10:11 AM

Corona Virus: દેશમાં સક્રિય દર વધીને 0.03 ટકા થઈ ગયો છે. તે જ સમયે, કોરોનાથી સાજા થનારા લોકોનો આંકડો 98.76 ટકા છે, જ્યારે મૃત્યુ દર 1.21 ટકા નોંધવામાં આવ્યો છે.

Covid 19 Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,150 નવા કેસ નોંધાયા, 954 લોકો સાજા થયા
File Image

Follow us on

દેશમાં કોરોના વાયરસ (Corona Virus)ના 1,150 નવા કેસ નોંધાયા છે. કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે, જે પછી કોરોનાના (Covid 19) કારણે કુલ મૃત્યુઆંક વધીને 5,21,751 થઈ ગયો છે. જો હાલમાં સક્રિય કેસની વાત કરીએ તો ભારતમાં કુલ સક્રિય કેસ 11,558 થઈ ગયા છે. તે જ સમયે, 954 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં સક્રિય દર વધીને 0.03 ટકા થઈ ગયો છે. તે જ સમયે, કોરોનાથી સાજા થનારા લોકોનો આંકડો 98.76 ટકા છે, જ્યારે મૃત્યુ દર 1.21 ટકા નોંધવામાં આવ્યો છે.

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના વાયરસ રસીના 186 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 12,56,533 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 186,51,53,593 ડોઝ આપવામાં આવ્યા છે.

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

જાણો ગુજરાતમાં શું છે સ્થિતિ

ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો ગઈકાલે વડોદરા કોર્પોરેશનમાં 02 કેસ, વડોદરામાં 01 અને સાબરકાંઠામાં 01 કેસ નોંધાયો છે. જ્યારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,13,074 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 10 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 126 છે. જેમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તેમજ રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10,942 એ જીવ ગુમાવ્યો છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાને કારણે એક પણ મોત નોંધાયું નથી.

ખાસ વાત એ છે કે સતત કોરોના મહામારીનો સામનો કરી રહેલા અમદાવાદમાં પ્રથમ વખત એવું બન્યું છેકે એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી તથા ગાંધીનગરમાં વચ્ચે નોંધાયેલા કોરોના વિસ્ફોટ બાદ ગાંધીનગરમાં પણ કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. આ સાથે રાજ્યમાં કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં પણ ઉત્તરોતર વધારો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાને કારણે રાજયમાં કુલ 32 દર્દીઓ સાજા થયા છે. જેમાં સૌથી વધારે દેવભૂમિ દ્વારકામાં 23 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે વડોદરામાં કુલ 08 દર્દીઓ સાજા થયા છે અને ડાંગ જિલ્લામાં 01 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Published On - 9:57 am, Sun, 17 April 22