Coronaથી સાજા થતાં દર્દીઓને રસી લેવા 6 થી 9 મહિનાનું અંતર રાખવાની સલાહ આપવામાં આવી છે. આ સલાહ સરકારી પેનલ NTAG દ્વારા આપવામાં આવી છે. એનટીએજીએ અગાઉ જણાવ્યું હતું કે Corona દર્દીઓએ સાજા થયાના 6 મહિના પછી રસી લેવી જોઈએ. જો કે આ પેનલે હવે આ સમયગાળો 6 થી વધારીને 9 મહિના લંબાવવાનું સૂચન કર્યું છે.
પેનલે પણ મંજૂરી માટે સરકારને પોતાના સૂચન મોકલ્યા છે. આ સૂચન એવા સમયે આવ્યું છે જ્યારે સલાહકાર સમિતિએ તાજેતરમાં કહ્યું હતું કે કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનું અંતર 12 થી 16 અઠવાડિયા હોવું જોઈએ. અગાઉ આ અંતર 4 થી 8 અઠવાડિયા હતું
CoWIN પોર્ટલમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા CoWIN પોર્ટલમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે. જેના લીધે વેક્સિનનો લાભ મેળવનાર પ્રથમ ડોઝ લીધા પછી 84 દિવસથી ઓછા સમયમાં ઓનલાઇન સમય મેળવી શકશે નહીં. 13 મેના રોજ કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ રસીના પ્રથમ અને બીજા ડોઝ માટેના સમયગાળાના તફાવત વધારીને 12-16 અઠવાડિયા કરી દીધો હતો.
મંત્રાલયે કહ્યું, ભારત સરકારે આ ફેરફાર અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાણ કરી દીધી છે. કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લેવા માટે 12 – 16 અઠવાડિયાના અંતરને સૂચવવા માટે કો-વિન પોર્ટલમાં જરૂરી ફેરફારો પણ કરવામાં આવ્યા છે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું, ‘લાભાર્થીઓ કે જેમને બીજા ડોઝ માટે પહેલાથી સમય આપ્યો છે તે માન્ય રહેશે આ ઉપરાંત લાભકર્તાઓને બીજા ડોઝ માટે પ્રથમ ડોઝ લેવાની તારીખ કરતાં 84 દિવસ પછીની સલાહ આપવામાં આવે છે. નોંધનીય છે કે હાલમાં ભારતમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, સીરમ સંસ્થાના કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો ૧૨ થી ૧૬ અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા જાહેર કરી છે. હાલની સ્થિતિને આધારે કોવિડ -19 કાર્યકારી જૂથે Covishield રસીના બે ડોઝ વચ્ચેનું અંતર 12 થી 16 અઠવાડિયા સુધી વધારવાનું સૂચન કર્યું હતું. હાલ ભારતમાં હાલમાં રસીકરણ અભિયાન કોવેક્સિન અને કોવિશિલ્ડ નામની બે રસીઓની મદદથી ચલાવવામાં આવી રહ્યું છે.
Published On - 5:09 pm, Tue, 18 May 21