દેશમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે અને સરકારે લોકડાઉન 3.0ની જાહેરાત પણ કરી દીધી છે. કોરોનાના કેસ વધારે વકરે નહીં તે માટે લોકડાઉન 3.0ની જાહેરાત કરવામાં આવી છે અને તે 17 મે સુધી લાગુ રહેશે. કોરોના વાઈરસની મહામારીમાં દેશ અને દુનિયા ઝઝુમી રહી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાણકારી આપી કે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 2487 કેસ નોંધાયા છે. જ્યારે 83 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કોરોનાનો કાળો કેર યથાવત, 361 પોલીસકર્મીને પણ લાગ્યો ચેપ
દેશમાં કોરોના વાઈરસના કુલ કેસની વાત કરીએ તો તે 40263 થઈ ગયા છે. જેમાં 28070 કેસ હાલ એક્ટિવ છે જ્યારે 10887 લોકોએ દેશમાં કોરોના વાઈરસની સામે જંગ જીત્યો છે. જ્યારે 1306 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. જેમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 83 લોકોએ જીવ ગુમાવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
દુનિયાભરમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 34 લાખ થઈ ગઈ છે. 2 લાખ 44 હજારથી વધારે લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કેરલમાં કોઈ જ નવો કેસ નથી નોંધાયો એવી માહિતી સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલેજાએ આપી હતી. ઉલ્લેખનીય છે કે કેરલમાં પોઝિટિવ કેસની સંખ્યા 95 છે. જ્યારે અત્યાર સુધીમાં 401 લોકો કેરલમાં કોરોના વાઈરસથી સ્વસ્થ થયા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 2:04 pm, Sun, 3 May 20