લૉકડાઉન દરમિયાન કોરોનાના કેસ બમણા થવાની ઝડપમાં ઘટાડો થયો છે. હવે ત્રણના બદલે 6 દિવસમાં કેસ ડબલ થઈ રહ્યા છે. ટકાવારીની વાત કરીએ તો નવા કેસમાં 40 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જોકે દેશમાં એક જ દિવસમાં 920 કેસના વધારા સાથે પોઝિટિવ કેસની સંખ્યા 14 હજાર 350ને પાર કરી ગઈ છે અને 486 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. તો 2 હજારથી વધુ લોકો સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે.
જ્યાં અત્યાર સુધી 201 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને 3300થી વધુ કેસ પોઝિટિવ નોંધાયા છે. તો દિલ્લીમાં 42નાં મોત અને 1 હજાર 707 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે તમિલનાડુમાં 1 હજાર 323 પોઝિટિવ કેસ અને 15નાં મોત થયા છે. તો રાજસ્થાનમાં 1 હજાર 229 પોઝિટિવ કેસ અને 17નાં મોત થયા છે. જ્યારે મધ્યપ્રદેશમાં 1310 કેસ અને 69 લોકોનાં મોત થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો