યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરને સેશન કોર્ટે 11 માર્ચ સુધી EDના રિમાન્ડમાં મોકલી દીધા છે. પૂછતાછ માટે EDએ 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી પણ કોર્ટે 11 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટમાં રાણા કપૂરના પક્ષથી કહેવામાં આવ્યું કે રાણા કપૂરને ભ્રમવાળી બીમારી છે. તેની સારવાર ચાલુ છે, તેથી તેમને સારવારની જરૂરિયાત છે, સાથે જ તે 3 દિવસથી ઉંઘ્યા પણ નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તેની પર EDના વકીલે કહ્યું કે રાણા કપૂર કોઈ પણ પ્રકારનો સહયોગ નથી કરી રહ્યા. અરેસ્ટ મેમો પર હસ્તાક્ષર પણ નથી કરી રહ્યા. જ્યારે તપાસ અધિકારી તેમની બીમારીની સારવાર અને દવા માટે જવાબદાર છે, તે કાળજી લેશે.
તમને જણાવી દઈએ કે શુક્રવાર મોડી રાત્રે EDએ મુંબઈના વર્લી સ્થિત રાણા કપૂરના ઘર પર છાપા માર્યા. ત્યારબાદ રાણા કપૂરની વિરૂદ્ધ મની લોન્ડ્રિંગ (PMLA) હેઠળ કેસ દાખલ કર્યો છે. EDના દરોડા દરમિયાન યસ બેન્કથી જોડાયેલા દસ્તાવેજોને શોધ્યા છે, ત્યારે તેમની વિરૂદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: સુરતના વરાછાની એક જ્વેલર શોપમાં માલિકની નજર ચૂકવીને ગણતરીની મિનિટમાં લાખોની ચોરી
Published On - 9:51 am, Sun, 8 March 20