કોરોનામાં આંશિક રાહત : છેલ્લા 527 દિવસોમાં સૌથી ઓછા એક્ટિવ કેસ, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 40 દિવસથી કોરોનાના ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. તેમજ સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પણ ઘટીને 1,28,555 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.37 ટકા છે.

કોરોનામાં આંશિક રાહત : છેલ્લા 527 દિવસોમાં સૌથી ઓછા એક્ટિવ કેસ, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 12:24 PM

Corona Update : ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 10,197 નવા કેસ નોંધાયા બાદ દેશમાં કોરોના (Covid 19) વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 3,44,66,598 થઈ ગઈ છે. તેમાંથી માત્ર કેરળમાં (Kerala) 5516 નવા કેસ નોંધાતા તંત્રની ચિંતા વધી છે. જો કે સારવાર હેઠળના કુલ દર્દીઓની સંખ્યા ઘટીને 1,28,555 થઈ ગઈ છે, જે 527 દિવસમાં સૌથી ઓછી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Department) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે વધુ 301 લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 4,64,153 થઈ ગયો છે.મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં સતત 40 દિવસ સુધી કોવિડ-19ના દૈનિક કેસ 20 હજારથી ઓછા છે અને છેલ્લા143 દિવસ સુધી 50 હજારથી ઓછા દૈનિક કેસ નોંધાઈ રહ્યા છે. ઉપરાંત રાહતની વાત એ છે કે, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પણ ઘટીને 1,28,555 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.37 ટકા છે.

રિકવરી રેટમાં સતત સુધારો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 1,937નો ઘટાડો થયો છે. સાથે રિકવરી રેટ 98.28 ટકા થયો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. માહિતી અનુસાર દૈનિક સંક્રમણ દર 0.82 ટકા નોંધાયો છે, જે છેલ્લા 44 દિવસથી 2 ટકાથી ઓછો છે. અત્યાર સુધીમાં કુલ 3,38,61,756 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન (Vaccination Program) હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વેક્સિનના 113.68 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોના સંક્રમણમાં ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

ઉલ્લેખનીય છે કે, દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા ગત વર્ષે 7 ઓગસ્ટે 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. જ્યારે 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરના રોજ 70 લાખ, 29 ઓક્ટોબરના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને પાર પહોંચી ગયા હતા. ઉપરાંત આ કેસ 19 ડિસેમ્બરે એક કરોડને વટાવી ગયા હતા.ત્યારે હાલ કોરોનાનું સંક્રમણ (Corona Case) ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,64,153 લોકોના સંક્રમણને કારણે મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 12,42,177 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે કુલ પરીક્ષણનો આંકડો 62,70,16,336 પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો: Delhi Air Pollution: પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ, સરકાર વર્ક ફ્રોમ હોમની તરફેણમાં નહી

આ પણ વાંચો: UNSCમાં પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ, PoK ખાલી કરો-તાલીમ અને હથિયારો લઈને આતંકીઓ ખુલ્લા ફરે છે

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">