દેશમાં પ્રથમ વખત સૌથી વધુ 5991 દર્દી થયા સ્વસ્થ, 24 કલાકમાં નવા 9985 કેસ નોંધાયા

|

Sep 28, 2020 | 4:01 PM

કોરોના વાઈરસની મહામારીથી સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. દુનિયામાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારત સરકારના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં કોરોના વાઈરસની સ્થિતિને લઈને જાણકારી આપી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 9985 કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં કોરોના વાઈરસના લીધે 279 લોકોના […]

દેશમાં પ્રથમ વખત સૌથી વધુ 5991 દર્દી થયા સ્વસ્થ, 24 કલાકમાં નવા 9985 કેસ નોંધાયા

Follow us on

કોરોના વાઈરસની મહામારીથી સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. દુનિયામાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારત સરકારના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં કોરોના વાઈરસની સ્થિતિને લઈને જાણકારી આપી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 9985 કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં કોરોના વાઈરસના લીધે 279 લોકોના મોત થયા છે.

 

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી ,જાણો ક્યાં પડી શકે છે ભારે વરસાદ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

દેશમાં કોરોના વાઈરસના સામે 1,35,206 લોકોએ જીત્યો જંગ
દેશમાં કોરોના વાઈરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 9985 કેસ નોંધાયા અને તેની સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,76,583 થઈ ગઈ છે. દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિત થયા બાદ 7745 લોકોએ દમ તોડ્યો છે. જ્યારે હાલ દેશમાં કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં હોય એવા એક્ટિવ કેસની સંખ્યા 1,33,632 છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી 1,35,206 લોકો સ્વસ્થ થઈને પોતાના ઘરે પહોંચ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દુનિયામાં કોરોના વાઈરસના સંક્રમણ વિશે વાત કરીએ તો પોઝિટિવ કેસનો કુલ આંક 73 લાખને પાર પહોંચી ગયો છે. જ્યારે કોરોના વાઈરસથી 4 લાખથી વધારે લોકોના મોત થયા છે. ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 5991 દર્દી સ્વસ્થ થયા છે. ભારતમાં સ્વસ્થ થવાનો દર 48.88 ટકા નોંધાયો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 1:07 pm, Wed, 10 June 20

Next Article