કોરોનાના લીધે વિશ્વમાં 7 હજારથી વધારે લોકોના મોત, ભારતમાં વાઈરસ સ્ટેજ-2 પર

|

Mar 17, 2020 | 12:53 PM

સમગ્ર વિશ્વમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. વિશ્વમાં કોરોના વાઇરસના કુલ પોઝિટીવ કેસની સંખ્યા 1 લાખ 87 હજાર થઇ ગઈ છે. જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. લોકો હવે આ બિમારીથી બચવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. સ્કૂલ, કૉલેજો, થિયેટર અને જાહેર કાર્યક્રમો પણ બંધ કરી દેવાયા છે. અમેરિકાના બે રાજ્યોમાં કર્ફ્યુ  લગાવી દેવાયો છે. Facebook […]

કોરોનાના લીધે વિશ્વમાં 7 હજારથી વધારે લોકોના મોત, ભારતમાં વાઈરસ સ્ટેજ-2 પર

Follow us on

સમગ્ર વિશ્વમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. વિશ્વમાં કોરોના વાઇરસના કુલ પોઝિટીવ કેસની સંખ્યા 1 લાખ 87 હજાર થઇ ગઈ છે. જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. લોકો હવે આ બિમારીથી બચવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. સ્કૂલ, કૉલેજો, થિયેટર અને જાહેર કાર્યક્રમો પણ બંધ કરી દેવાયા છે. અમેરિકાના બે રાજ્યોમાં કર્ફ્યુ  લગાવી દેવાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

 

આ પણ વાંચો :   કોરોના વાઈરસના દર્દીએ ટ્રેનમાં મુસાફરી કરી, 100થી વધારે લોકો આવ્યા સંપર્કમાં!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જ્યારે ફ્રાન્સમાં પણ લોકડાઉન જાહેર કરાયું છે. અમે તમને જણાવી દઈએ કે અત્યાર સુધી કોરોના વાઈરસ 162 દેશમાં પ્રસરી ગયો છે.  જેમાં કુલ 7477 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે પોણા બે લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ચીનમાં અત્યાર સુધી 3213 લોકોનાં મોત થયા છે. ઈરાનમાં મોતની સંખ્યા વધીને 988 પર પહોંચી ગઈ છે  તો પાડોશી દેશ પાકિસ્તાનમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 194 થઈ ગઈ છે.

જો કે ભારતમાં કોરોનાનું બીજુ સ્ટેજ ચાલી રહ્યું છે.  કોરોના વાઈરસને લઈને આઈસીએમઆર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે હજુ આ વાઈરસ ભારતમાં સામુદાયિક રીતે ફેલાઈ નથી રહ્યો. એનો અર્થ એવો થયો કે એક સાથે ઘણાંબધાં લોકો આ વાઈરસની ઝપેટમાં ભારતમાં આવી નથી રહ્યાં. ભારતમાં જે પણ કેસ નોંધાયા છે તે વિદેશથી આવેલાં લોકોના છે અને તેમની સાથે સંપર્કમાં આવેલાં તેના છે.  આમ ભારતની પાસે સમય છે કે જો લોકો કાળજી રાખે તો મોટા સ્તરે વાઈરસને ફેલાતો રોકી શકાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article