કોરોના નિયમોમાં છૂટછાટ : આંતરરાષ્ટ્રીય મુસાફરોને આજથી મળી રહી છે મોટી રાહત, જાણો સમગ્ર વિગતો

|

Feb 14, 2022 | 3:12 PM

કોવિડ સર્ટિફિકેટ અંગે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પણ મોટી રાહત આપવામાં આવી છે. હવે મુસાફરો એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ RT-PCR રિપોર્ટ અપલોડ કરી શકશે.

કોરોના નિયમોમાં છૂટછાટ : આંતરરાષ્ટ્રીય મુસાફરોને આજથી મળી રહી છે મોટી રાહત, જાણો સમગ્ર વિગતો
International Airport (File Photo)

Follow us on

Corona Guidelines : ભારત સહિત વિશ્વમાં કોરોના વાયરસના કેસમાં (Corona Case)  ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે કોવિડ સંબંધિત પ્રતિબંધોને હળવા કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ભારતે વિદેશથી આવતા પ્રવાસીઓને પણ મોટી રાહત આપી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ (International Traveller) માટે બનાવવામાં આવેલા નવા નિયમો(Corona Guidelines)  હેઠળ, હવે મુસાફરોએ સાત દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવાની જરૂર રહેશે નહીં.

આ સિવાય આંતરરાષ્ટ્રીય મુસાફરોને એરપોર્ટ પર ફરજિયાત કોવિડ ટેસ્ટિંગમાંથી પણ મુક્તિ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે તેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે.

પ્રવાસીઓને હોમ ક્વોરેન્ટાઇનમાંથી મુક્તિ મળી

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ હવે સાત દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇનમાં (Home quarantine)રહેવાની જરૂર નથી અને આઠમા દિવસે RT-PCR ટેસ્ટ કરાવવાની પણ જરૂર નથી. ઉલ્લેખનીય છે કે, વિદેશથી આવતા કુલ મુસાફરોમાંથી હાલ માત્ર બે ટકા લોકોનો કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને પછી તેમને એરપોર્ટની બહાર જવા દેવામાં આવી રહ્યા છે. કોવિડ સર્ટિફિકેટને લઈને પણ  મુસાફરોને મોટી રાહત આપવામાં આવી છે. હવે મુસાફરો એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ RT-PCR રિપોર્ટ અપલોડ કરી શકશે. આ ઉપરાંત રસીકરણ પ્રમાણપત્ર (Vaccination Certificate) અપલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ આ નિયમોનું પાલન કરવું પડશે

વિદેશથી આવતા પ્રવાસીઓએ હવે હોમ ક્વોરેન્ટાઈનને બદલે ભારતમાં આગમન પર 14 દિવસ સુધી તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવું પડશે. જો કોઈ પેસેન્જર પહોંચ્યા પછી સ્ક્રિનિંગ દરમિયાન સંક્રમિત જોવા મળે છે અથવા જો તેને સંક્રમણના લક્ષણો જોવા મળે છે, તો તેને તરત જ આઈસોલેટ કરવામાં આવશે. આ પછી યાત્રીને હેલ્થ પ્રોટોકોલ મુજબ હોસ્પિટલ લઈ જવામાં આવશે.

આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકામાં શું કહેવામાં આવ્યુ ?

માર્ગદર્શિકા અનુસાર જો મુસાફરમાં સંક્રમણની પુષ્ટિ થાય છે, તો તેમના નમૂનાઓ જિનોમ સિક્વન્સિંગ અને INSACOG લેબોરેટરી નેટવર્કમાં જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે. તે મુજબ તેની સારવાર કરવામાં આવશે.આથી હાલ કોરોના નિયમોમાં છુટછાટ આપવામાં આવી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ ઉપર્યુક્ત પ્રોટોકોલનુ પાલન કરવુ પડશે.

 

આ પણ વાંચો : Coronavirus in India: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 34,113 નવા કેસ નોંધાયા, મૃત્યુઆંકમાં ઘટાડો થયો

Next Article