Corona Research: કોરોનાં વૃદ્ધિદરને રોકવામાં અશ્વગંધા પર આશા, રિસર્ચમાં કોકટેલ ઇન્જેક્શન જેટલુ જ અસરકારક હોવાનો દાવો

|

Jun 04, 2021 | 4:04 PM

Research : ચીનથી વકરેલા કોરોનાએ અત્યાર સુધીમાં અનેક લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે. લાખો કે કરોડોના ખર્ચે સારવાર કરવા છતાં પણ દર્દીને બચાવી શકાતા નથી. તેની વચ્ચે એક રાહતના સમાચાર આવ્યાં છે કે,કોરોનાનો વૃદ્ધિદર માત્ર 60ની કિંમતના અશ્વગંધાથી(Ashwagandha) રોકાતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Corona Research: કોરોનાં વૃદ્ધિદરને રોકવામાં અશ્વગંધા પર આશા, રિસર્ચમાં કોકટેલ ઇન્જેક્શન જેટલુ જ અસરકારક હોવાનો દાવો
Research: Ashwagandha worth only Rs 60, claims to be as effective as cocktail injection in stopping the growth rate of corona

Follow us on

Corona Research: ચીનથી વકરેલા કોરોનાએ અત્યાર સુધીમાં અનેક લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે. લાખો કે કરોડોના ખર્ચે સારવાર કરવા છતાં પણ દર્દીને બચાવી શકાતા નથી. તેની વચ્ચે એક રાહતના સમાચાર આવ્યાં છે કે, કોરોનાનો વૃદ્ધિદર માત્ર 60ની કિંમતના અશ્વગંધાથી(Ashwagandha) પણ રોકાતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આયુર્વેદિક નિષ્ણાતનાં દાવા મુજબ 60 હજારની કિંમતનાં કોકટેલ ઇન્જેક્શન જેટલુ જ પરિણામ અશ્વગંધામાંથી મળી રહ્યુ છે.

ગુજરાત આયુર્વેદિક નિષ્ણાંત (Ayurvedic specialist) જણાવે છે કે,આધુનિક તબીબી વિજ્ઞાનમાં મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ ઇન્જેક્શન (Monoclonal antibody cocktail injection) કોરોના વાયરસના એસ-પ્રોટીનને વધતું અટકાવે છે, જેથી વાયરસ શરીરના બીજા કોષોમાં પ્રવેશી શકતો નથી.

આ વાયરસને શરીરમાં અટકાવતા કોકટેલ ઇન્જેક્શનના એક ડોઝની કિંમત રૂ. 60 હજાર છે. કોરોનાનાં માઇલ્ડ લક્ષણો ધરાવતા અને રેપિડ કે આર -ટી-પીસીઆરમાં(RTPCR) ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીને કોકટેલ ઇન્જેક્શન અપાય છે. જ્યારે,અશ્વગંધામાં રહેલું  વિથેનેન નામનું  તત્ત્વ વાયરસના એમ-પ્રોટીનને(M-Protein) ઇનઇફેક્ટિવ કરીને તેનાં  વૃદ્ધિદરને અટકાવે છે અને શરીરને રક્ષણ આપે છે,તેવો દાવો હાલ કરવામાં આવી રહ્યો  છે.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

કોરોનામાં કોકટેલ ઇન્જેક્શન થેરાપીની જેમ અશ્વગંધા પણ અસરકારક હોવાનો દાવો

કોરોના પોઝિટિવ આવેલા દર્દીને સામાન્ય રીતે કોકટેલ ઇન્જેક્શન(Cocktail injection) અપાય છે, જેથી  વાયરસ(Virus) નાક કે ગળામાં પ્રવેશીને  શરીરના કોષોમાં પ્રવેશ્યો હોય તો તેને આગળ વધતો અટકાવી શકાય છે. કોકટેલ થેરપીની(Therapy) જેમ કામ કરતું અશ્વગંધામાં રહેલું વિથેનોન નામનું તત્ત્વ પણ વાયરસના એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ કરીને એના વૃદ્ધિદરને અટકાવી દે છેે. તેમજ કોઇપણ પ્રકારની સાઇડ ઇફેક્ટ(Side Effect) પણ કરતું નથી.

અશ્વગંધામાં રહેલું  ‘વિથેનોન’ નામનું તત્વ છે કારગત : રિસર્ચ

આઇઆઇટી- દિલ્હી(IIT Delhi) અને જાપાનની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ઇન્ડસ્ટ્રિયલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (National Institute of Advance Industrial Science And Technology)દ્વારા થયેલા રિસર્ચ પ્રમાણે, અશ્વગંધામાં ‘વિથેનોન’ નામનું કુદરતી રસાયણ રહેલું છે.

જે કોરોના વાયરસના એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ (In Affactive) કરીને વૃદ્ધિદર અટકાવે છે. મૂળ કોરોના વાયરસ ચાર પ્રોટીનનો બનેલો છે. જે એસ-પ્રોટીન (H-protein)શરીરના કોષને સંક્રમિત કરીને ડીએનએ સાથે મળે છે, ત્યારે એમ-પ્રોટીન(M-protein) જે એકમાંથી હજારો કોષોમાં રૂપાંતરિત કરે છે, પરંતુ આ વિથેનોન(Withenon) એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ બનાવે છે.જેથી કોરોનાનાં સંક્રમણને આગળ વધતું અટકાવી શકાય છે.

Published On - 4:03 pm, Fri, 4 June 21

Next Article