દેશના આ 10 રાજ્યોમાં કોરોનાથી બગડયા હાલાત, 71 ટકાથી વધારે નવા કેસો

|

May 09, 2021 | 6:02 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા Corona ના  4,03,738 કેસમાંથી 71.75 ટકા કેસો મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હી સહિત 10 રાજ્યોના છે. આ યાદીમાં અન્ય 10 રાજ્યોમાં કેરળ તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને હરિયાણા છે.

દેશના આ 10  રાજ્યોમાં કોરોનાથી બગડયા હાલાત, 71 ટકાથી વધારે નવા કેસો
દેશના આ 10 રાજ્યોમાં કોરોનાથી બગડયા હાલાત

Follow us on

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા Corona ના  4,03,738 કેસમાંથી 71.75 ટકા કેસો મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હી સહિત 10 રાજ્યોના છે. આ યાદીમાં અન્ય 10 રાજ્યોમાં કેરળ તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને હરિયાણા છે. મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્રમાં Corona  ના સૌથી વધુ 56578 દર્દીઓ નોંધાયા છે, ત્યારબાદ કર્ણાટક 47,563 અને કેરળમાં 41971 કેસ નોંધાયા છે.

તેમણે કહ્યું કે દેશભરમાં કુલ 30.22 કરોડ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે દૈનિક કોવિડ -19 ચેપ દર 21.64 ટકા છે. ભારતમાં સારવાર કરાયેલા દર્દીઓની સંખ્યા 37,36,648 પર પહોંચી ગઈ છે અને આ કુલ કેસોના 16.76 ટકા છે. 24 કલાકના ગાળામાં 13,202 દર્દીઓનો ઘટાડો થયો છે.

મંત્રાલયે કહ્યું કે  રાષ્ટ્રીય મૃત્યુ દર ઘટી રહ્યો છે અને હાલમાં તે 1.09 ટકા છે. વધુમાં છેલ્લા 24 કલાકમાં 4,092 લોકોનાં મોત થયાં છે. તેમાંથી 10 રાજ્યોમાં 74.93 ટકા દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 864 લોકોના મૃત્યુ થયા છે. તેની બાદ કર્ણાટકમાં 482 લોકોનાં મોત નીપજ્યાં છે. મંત્રાલયે કહ્યું કે 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 10 લાખની વસ્તી માટે મૃત્યુ દરની રાષ્ટ્રીય સરેરાશ (176) કરતા ઓછો છે જ્યારે 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તે રાષ્ટ્રીય સ્તર કરતા વધારે છે. દેશમાં અત્યાર સુધીમાં લોકોને કોરોનાની રસીના 16.94 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

મંત્રાલયે કહ્યું કે દેશમાં આપવામાં આવતી રસીના કુલ ડોઝનો 66.78 ટકા હિસ્સો મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, કેરળ, બિહાર અને આંધ્રપ્રદેશમાં આપવામાં આવ્યો છે. રસીનો પ્રથમ ડોઝ 18 થી 44 વર્ષની વય જૂથના 17,84,869 લોકોને આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં કોરોના વેક્સિનના 20 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ -19 ની ભારતની બીજી લહેર સાથેના વ્યવહારમાં વિશ્વ સમુદાયની મદદ મળી રહી છે. મંત્રાલયે કહ્યું કે કેન્દ્ર સુનિશ્ચિત કરી રહ્યું છે કે વૈશ્વિક સહાય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અસરકારક અને ઝડપથી વિતરણ કરવામાં આવે.અત્યાર સુધીમાં 6608 ઓક્સિજન કન્સન્ટ્રેટર, 3856 ઓક્સિજન સિલિન્ડર, 14 ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ, 4330 વેન્ટિલેટર અને ત્રણ લાખથી વધુ રેમેડિસિવીર વાઈલ મોકલાઈ છે.

Published On - 5:48 pm, Sun, 9 May 21

Next Article