Gujarati NewsNationalCorona ate dardio maatesara samachar be aayurvedik dava o namadya sara parinaam
કોરોના દર્દીઓ માટે સારા સમાચાર, સારવારમાં બે આયુર્વેદિક દવાઓના પરીક્ષણના સારા પરિણામ મળ્યા
કોરોના વેક્સીન અને સટીકઉપચાર માટે દુનિયાભરના વૈજ્ઞાનિક રાતદિવસ એક કરી રહ્યા છે તે વચ્ચે ભારતના પરંપરાગત આયુર્વેદને કોરોના સંક્રમણના ઉપચારની ક્લિનિકલ ટ્રાયલના સારાપરિણામ મળ્યાં છે. દેશમાં ત્રણ ચિકિત્સા સંસ્થાનોમાં ચાલી રહેલા ક્લિનિકલ ટ્રાયલનની અંતરિમ રિપોર્ટ અનુસાર કોરોના સંક્રમણના સારવારમાં ઇમ્યુનોફ્રી અને રેજિમ્યુન નામની આયુર્વેદિક દવાઓની અસર સારી જોવા મળી છે. દવાને સરકાર દ્વારા નિર્ધારિત […]
Follow us on
કોરોના વેક્સીન અને સટીકઉપચાર માટે દુનિયાભરના વૈજ્ઞાનિક રાતદિવસ એક કરી રહ્યા છે તે વચ્ચે ભારતના પરંપરાગત આયુર્વેદને કોરોના સંક્રમણના ઉપચારની ક્લિનિકલ ટ્રાયલના સારાપરિણામ મળ્યાં છે. દેશમાં ત્રણ ચિકિત્સા સંસ્થાનોમાં ચાલી રહેલા ક્લિનિકલ ટ્રાયલનની અંતરિમ રિપોર્ટ અનુસાર કોરોના સંક્રમણના સારવારમાં ઇમ્યુનોફ્રી અને રેજિમ્યુન નામની આયુર્વેદિક દવાઓની અસર સારી જોવા મળી છે.
દવાને સરકાર દ્વારા નિર્ધારિત કોરોનાની પારંપરિક સારવાર અંગે સારા પરિણામ જોવા મળી રહ્યા છે. સી – રિએક્ટિવ પ્રોટીન , પ્રોક્લેસિટોનિન , ડી ડાયમર અને RT-PCRમાં પણ પરંપરાગત ઉપચારની તુલનામાં કુદરતી ઉપચાર કરતા 20 થી 60 ટકાનો સુધારો જોવા મળ્યો છે. કુદરતી ઉપચારથી શરીરનો દુખાવો અને થાક પણ ઓછો કરે છે. એક અખબારી અહેવાલ અનુસાર પ્રાકૃતિક સારવાર દરમ્યાન પાંચ દિવસની અંદર જ દર્દીમાંથી 86.66 ટકા દર્દીઓનું ટેસ્ટ નિગેટીવ આવ્યું હોવાનું તરણ મળ્યું છે જ્યારે પરંપરાગત સારવારના 60 ટકા દર્દીઓમાં નિગેટીવ રિપોર્ટ આવ્યા છે.
ઇમ્યુનોફ્રી અને રેજિનમ્યુન નામની દવાઓની ભારતની ત્રણ હોસ્પિટલોમાં ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. ચિકિત્સાના પરિણામ આગામી દિવસોમાં કોરોના સારવારમાં આયુર્વેદનો સમાવેશ કરવામાં આવી શકે છે. ત્રણ હોસ્પિટલોમાં કરાયેલા રિપોર્ટના સારા પરિણામ બાદ હજુ ઊંડાણથી તપાસ કરાઈ શકે છે. પરિણામોની સ્થિરતા અને સુસંગતતા જળવાઈ રહી તો જલ્દી સફળ ઉપચાર પદ્ધતિ અમલમાં મુકાય તેમ લાગી રહ્યું છે.
નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને દવાનાં પરીક્ષણ અને તેની અસર પર રીસર્ચ યથાવત છે