રામમંદિર નિર્માણની તારીખની થઈ શકે છે જાહેરાત, આજે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક

|

Feb 19, 2020 | 9:57 AM

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ ઔપચારિક બેઠક આજે સાંજે દિલ્હીમાં થશે. તેમાં સામેલ થવા માટે અયોધ્યાના ત્રણ ટ્રસ્ટી મહંત દિનેદ્ર દાસ, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર અને ડૉ. અનિલ મિશ્ર દિલ્હી આવી ગયા છે. શંકરાચાર્ય વાસુદેવાનંદજી સરસ્તવતી મંગળવારે જ દિલ્હી પહોંચી ગયા હતા.   Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ […]

રામમંદિર નિર્માણની તારીખની થઈ શકે છે જાહેરાત, આજે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક

Follow us on

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ ઔપચારિક બેઠક આજે સાંજે દિલ્હીમાં થશે. તેમાં સામેલ થવા માટે અયોધ્યાના ત્રણ ટ્રસ્ટી મહંત દિનેદ્ર દાસ, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર અને ડૉ. અનિલ મિશ્ર દિલ્હી આવી ગયા છે. શંકરાચાર્ય વાસુદેવાનંદજી સરસ્તવતી મંગળવારે જ દિલ્હી પહોંચી ગયા હતા.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મળતી માહિતી મુજબ મહંત નૃત્યગોપાલદાસ અને VHP નેતા ચંપત રાયને પણ ટ્રસ્ટની બેઠકમાં સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. સંભાવના છે કે બેઠક દરમિયાન મહંત નૃત્યગોપાલ દાસ અને ચંપત રાયને ટ્રસ્ટમાં સામેલ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આજે સાંજે 5 વાગ્યે ટ્રસ્ટની બેઠક થશે. તે 3 કે 4 કલાક ચાલી શકે છે. બેઠકમાં તમામ સભ્યો પોતાના તરફથી પ્રસ્તાવ મુકશે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંદિર નિર્માણ માટે ગઠિત ટ્રસ્ટની પ્રથમ બેઠક રામમંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું સરનામું આર-20, ગ્રેટર કૈલાશ પાર્ટ-1માં થશે. આ ટ્રસ્ટના પ્રમુખ વરિષ્ઠ વકીલ કે.પરાસરણનું ઘર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પહેલા શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી અયોધ્યાથી દિલ્હી પહોંચ્યા હતા. અયોધ્યામાં તેમને અલગથી મહંત નૃત્યગોપાલ દાસ અને દિંગબર અખાડાના મહંત સુરેશ દાસ સાથે મુલાકાત કરી, મંદિર નિર્માણને લઈ મંત્રણા કરી હતી. મહંત નૃત્યગોપાલ દાસને ટ્રસ્ટમાં સામેલ કરવાના તમામ પ્રયત્નો થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સંભાવના છે કે બેઠકમાં મહંત નૃત્યગોપાલ દાસ અને ચંપતરાયને ટ્રસ્ટમાં સામેલ કરવા માટે બેઠકમાં પ્રસ્તાવ રાખવામાં આવશે. શંકરાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતી મુજબ ટ્રસ્ટની પ્રથમ બેઠકમાં તેના ગઠનની સાથે મંદિર નિર્માણ શરૂ કરવાની તારીખ નક્કી કરવા પર ચર્ચા થશે.

આ પણ વાંચો: દિલ્હીમાં જીત મેળવ્યા બાદ પ્રથમ વખત કેજરીવાલ અને અમિત શાહ વચ્ચે મુલાકાત

Next Article