વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને (Cheetah) છોડ્યા હતા. તેના પર કોંગ્રેસે (Congress) પીએમ પર આરોપ લગાવ્યો છે કે તેમણે ‘ભારત જોડો યાત્રા’ પરથી ધ્યાન હટાવવા માટે આ બધુ કર્યું છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક ટ્વીટમાં કહ્યું કે પીએમે ચિત્તા પ્રોજેક્ટમાં તેમના પ્રયાસોનો ઉલ્લેખ પણ કર્યો નથી. તેઓ શાસનમાં સાતત્યને ક્યારેય સ્વીકારતા નથી.
જયરામે ટ્વીટમાં લખ્યું કે, PM ભાગ્યે જ શાસનમાં સાતત્ય સ્વીકારે છે. ચિત્તા પ્રોજેક્ટ માટે 25.04.2010 ના રોજ મારી કેપટાઉનની મુલાકાતનો ઉલ્લેખ ન કરવો એ તેનું નવીનતમ ઉદાહરણ છે. આજે PM એ બિનજરૂરી તમાશો રચ્યો. આ રાષ્ટ્રીય મુદ્દાઓને દબાવવા અને ‘ભારત જોડો યાત્રા’ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે.
તેમણે કહ્યું કે, 2009-11 દરમિયાન, જ્યારે વાઘને પ્રથમ વખત પન્ના અને સરિસ્કામાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા, ત્યારે ઘણા લોકો આશંકા વ્યક્ત કરી રહ્યા હતા. તેઓ ખોટા સાબિત થયા હતા. ચિત્તા પ્રોજેક્ટ પર પણ આવી જ આગાહીઓ કરવામાં આવી રહી છે. આ સાથે સંકળાયેલા વ્યાવસાયિકો ખૂબ સારા છે. હું તમને આ પ્રોજેક્ટ માટે શુભેચ્છા પાઠવું છું!
पीएम शासन में निरंतरता को शायद ही कभी स्वीकार करते हैं। चीता प्रोजेक्ट के लिए 25.04.2010 को केपटाउन की मेरी यात्रा का ज़िक्र तक न होना इसका ताज़ा उदाहरण है। आज पीएम ने बेवजह का तमाशा खड़ा किया। ये राष्ट्रीय मुद्दों को दबाने और #BharatJodoYatra से ध्यान भटकाने का प्रयास है। 1/2 pic.twitter.com/V0Io8OMYyD
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 17, 2022
કોંગ્રેસ નેતા પવન ખેરાએ પણ આ સમગ્ર ઘટના પર કટાક્ષ કર્યો છે. પોતાના ટ્વિટર હેન્ડલ પર જયરામ રમેશના ટ્વીટને રીટ્વીટ કરતા તેમણે લખ્યું છે કે તેમનો સિંહ આ સમયે દેશને જોડવા માટે બહાર આવ્યો છે, તેથી દેશને તોડનારાઓ વિદેશથી ચિત્તા લાવી રહ્યા છે. તેમણે લખ્યું, ‘કારણ કે અમારો સિંહ ‘ભારત જોડો યાત્રા’ પર નીકળ્યો છે, તો ભારતને તોડનારા હવે વિદેશથી ચિત્તા લાવી રહ્યા છે.’
क्यूँकि हमारा शेर #भारत_जोड़ो_यात्रा पर निकला हुआ है तो भारत तोड़ने वाले विदेश से अब चीते ला रहे हैं https://t.co/KhivEM4an7
— Pawan Khera 🇮🇳 (@Pawankhera) September 17, 2022
વડાપ્રધાન મોદીએ શનિવારે મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્ક ખાતે નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને છોડ્યા હતા. આ પ્રસંગે મોદી પોતાના પ્રોફેશનલ કેમેરાથી ચિત્તાની કેટલીક તસવીરો લેતા જોવા મળ્યા હતા. ભારતમાં લુપ્ત જાહેર થયાના સાત દાયકા પછી દેશવ્યાપી પુનર્વસન પ્રોજેક્ટના ભાગરૂપે નામીબીયાના આઠ ચિત્તા શનિવારે સવારે કુનો નેશનલ પાર્ક ખાતે પહોંચ્યા હતા. પહેલા તેમને સ્પેશિયલ એરક્રાફ્ટ દ્વારા ગ્વાલિયર એરપોર્ટ અને પછી હેલિકોપ્ટર દ્વારા પાર્કમાં લાવવામાં આવ્યા હતા.
Published On - 4:03 pm, Sat, 17 September 22