ભારત જોડો યાત્રા: રાહુલ ગાંધીએ કહ્યું- પગમાં ભલે છાલા પડી જાય, પરંતુ અમે રોકાશું નહી

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે ભાજપે સાબિત કર્યું છે કે નફરતનો ઉપયોગ રાજકીય રીતે અને ચૂંટણી જીતવા માટે કરી શકાય છે, પરંતુ તે નોકરીઓનું સર્જન કરી શકતી નથી.

ભારત જોડો યાત્રા: રાહુલ ગાંધીએ કહ્યું- પગમાં ભલે છાલા પડી જાય, પરંતુ અમે રોકાશું નહી
Rahul Gandhi - Bharat Jodo Yatra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 6:10 PM

મંગળવારે, કેરળમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાના (Bharat Jodo Yatra) ત્રીજા દિવસે યાત્રા માટે લોકો ઉત્સાહિત થયા અને કોંગ્રેસના અનેક નેતાઓ અને સમર્થકો વરસાદ વચ્ચે છત્રી વિના રસ્તાઓ પર ચાલતા જોવા મળ્યા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 3500 કિલોમીટરની પદયાત્રા શરૂ કરી છે. તેમણે કહ્યું કે યાત્રામાં સામેલ લોકોને પગમાં છાલા પડી ગયા છે, પરંતુ અભિયાન ચાલુ રહેશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પદયાત્રીઓનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉભા જોવા મળ્યા હતા.

વરસાદ દરમિયાન રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસી નેતાઓ છત્રી વગર રસ્તા પર ચાલી રહ્યા હતા. ફેસબુક પોસ્ટમાં ગાંધીએ લખ્યું કે, અમારા પગમાં ફોલ્લા હોવા છતાં પણ અમે દેશને એક કરવા માટે બહાર આવ્યા છીએ. અમે રોકવાના નથી. કેરળમાં કોંગ્રેસની ‘ભારત જોડો’ યાત્રાનો ત્રીજો દિવસ છે. આ યાત્રા સવારે લગભગ 7.15 વાગ્યે અહીં કાઝકુટમની નજીક કન્યાપુરમથી શરૂ થઈ હતી. આ દરમિયાન કેરળ તબક્કાના છેલ્લા બે દિવસની જેમ લોકોની ઉત્સાહી ભીડ જોવા મળી હતી. ‘ભારત જોડો’ યાત્રા અંતર્ગત 150 દિવસમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીનું 3570 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે.

સોમવાર સુધી 100 કિમીની યાત્રા પૂર્ણ કરી

યાત્રા દિવસના પ્રથમ હોલ્ટ પોઈન્ટ પર અટ્ટિંગલ ખાતે પહોંચી ત્યારે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) ના જનરલ સેક્રેટરી કોમ્યુનિકેશન ઈન્ચાર્જ જયરામ રમેશે ટ્વીટ કર્યું, પદયાત્રા હમણાં જ અટ્ટિંગલ નજીક મામોમ ખાતે તેના વહેલી સવારના પડાવ પર પહોંચી છે, જ્યાં વિવિધ સમૂહના લોકો છે. સોમવારે સાંજે યાત્રા પૂરી થઈ ત્યાં સુધીમાં 100 કિમીનું અંતર કાપ્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કાઝકુટમમાં એક સભાને સંબોધતા કહ્યું કે નફરત, હિંસા અને ગુસ્સાથી ચૂંટણી જીતી શકાય છે, પરંતુ તે દેશની સામાજિક-આર્થિક સમસ્યાઓને હલ કરી શકતી નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પદયાત્રા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ લોકોની ભીડ પણ વધી રહી છે. તેનાથી ઉત્સાહિત થઈને રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે ભાજપે સાબિત કર્યું છે કે નફરતનો ઉપયોગ રાજકીય રીતે અને ચૂંટણી જીતવા માટે કરી શકાય છે, પરંતુ તે નોકરીઓનું સર્જન કરી શકતી નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભારતમાં લોકોનો સંવાદ અને અવાજ બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે મીડિયા પણ દેશની સરકાર જે કહેવા માંગે છે તે કહી રહ્યું છે અને આ મીડિયા સંસ્થાઓના માલિકો પર શાસક સરકાર દ્વારા લાદવામાં આવેલા દબાણને કારણે છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">