Congress Protest: દિલ્હી, કેરળ, કર્ણાટક સહિત દેશભરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ઘણા નેતાઓની અટકાયત કરવામાં આવી

|

Jun 16, 2022 | 2:49 PM

રણદીપ સિંહ સુરજેવાલાએ બુધવારે કહ્યું હતું કે પોલીસની કાર્યવાહી વિરુદ્ધ પાર્ટીના રાજ્ય એકમો ગુરુવારે દેશભરના રાજભવનોનો ઘેરાવ કરશે. દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે કોંગ્રેસના (Congress) રાજ્યસભા સાંસદો દિલ્હીમાં ગૃહના અધ્યક્ષને મળ્યા હતા.

Congress Protest: દિલ્હી, કેરળ, કર્ણાટક સહિત દેશભરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ઘણા નેતાઓની અટકાયત કરવામાં આવી
Congress Protest - Delhi

Follow us on

નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald Case) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) પૂછપરછ અને પાર્ટીના નેતાઓ સાથે દિલ્હી પોલીસ દ્વારા કરાયેલી ક્રૂર કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસ રાજસ્થાન અને કેરળ સહિત દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. દરેક જગ્યાએ પોલીસ દેખાવકારોને વિખેરવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ બુધવારે કહ્યું હતું કે પોલીસની કાર્યવાહી વિરુદ્ધ પાર્ટીના રાજ્ય એકમો ગુરુવારે દેશભરના રાજભવનોનો ઘેરાવ કરશે. દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે કોંગ્રેસના રાજ્યસભા સાંસદો દિલ્હીમાં ગૃહના અધ્યક્ષને મળ્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે હવે રાજ્યસભાના તમામ સભ્યોએ ઉપરાષ્ટ્રપતિને મળવું જોઈએ અને તેમને જણાવવું જોઈએ કે અમારા સાંસદોને ખોટી રીતે અટકાયતમાં લેવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે જો કોઈ સાંસદની ધરપકડ કરવામાં આવે છે અથવા તેને કસ્ટડીમાં લેવામાં આવે છે, તો તમારી ફરજ છે કે તેને 1-2 કલાકમાં છોડી દો અથવા તેની વિરુદ્ધ કેસ નોંધો અને તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરો, પરંતુ અમારા સાંસદોને હેરાન કરવાને કારણે તેમણે આવું કર્યું નથી. તેથી જ આજે અમે ઉપરાષ્ટ્રપતિ પાસે આવ્યા છીએ. તેઓ અમારા અધ્યક્ષ છે અને અમારી સુરક્ષા કરવી તેમની ફરજ છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના નેતા સચિન પાયલટે કહ્યું કે, છેલ્લા 8 વર્ષથી તમામ એજન્સીઓનો દુરુપયોગ કરીને નેતાઓના અવાજને દબાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ અમે સંકલ્પ કર્યો છે કે અમે સત્યાગ્રહ કરીને આ સરકાર પર પ્રહાર કરીશું. બિનજરૂરી દબાણ ઊભું કરીને એજન્સીઓનો દુરુપયોગ રોકવા માટે તેમના પર દબાણ કરશે.

કર્ણાટક કોંગ્રેસના વડા ડીકે શિવકુમારે બેંગલુરુમાં કહ્યું કે આ વિરોધ અમારો અધિકાર છે, અમે ન્યાય માટે લડીશું. ED ભાજપના કોઈ નેતાના કેસની તપાસ નથી કરી રહી, માત્ર કોંગ્રેસના લોકોને હેરાન કરી રહી છે. બાદમાં શિવકુમાર, CLP નેતા સિદ્ધારમૈયા અને અન્ય પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને વિરોધ દરમિયાન અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

તિરુવનંતપુરમમાં વોટર કેનનનો ઉપયોગ

કેરળમાં વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોને વિખેરવા પોલીસે તિરુવનંતપુરમમાં વોટર કેનનનો ઉપયોગ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. લોકોએ સ્થળોએ લગાવેલા બેરિકેડ્સને હટાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.

રાજસ્થાન, તેલંગાણા અને તમિલનાડુમાં પણ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હૈદરાબાદમાં કોંગ્રેસના કાર્યકરોએ ટાયરો સળગાવી વિરોધ કર્યો હતો. તે જ સમયે, ચંદીગઢમાં વિરોધ કરી રહેલા પંજાબ કોંગ્રેસના કાર્યકરોને વિખેરવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.

Published On - 2:49 pm, Thu, 16 June 22

Next Article