Congress President Election: ઉમેદવારના નામની આગળ ‘A’ ટીક કરવું પડશે, અધ્યક્ષ ચૂંટણીના એક દિવસ પહેલા થયો મોટો ફેરફાર
કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીએ શનિવારે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પ્રમુખ પદના બંને ઉમેદવારોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમને મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસ (Congress) અધ્યક્ષની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પ્રતિનિધિએ મતદાન કરતી વખતે ‘1’ને બદલે ‘A’ પર ટીક કરવાનું રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીના એક દિવસ પહેલા રવિવારે આ ફેરફાર કરવામાં આવ્યો છે. સોમવારે મતદાન છે. વાસ્તવમાં, આ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે કોંગ્રેસના અધ્યક્ષ પદના ઉમેદવાર શશિ થરૂરે (Shashi Tharoor) ‘1’ ટીક માર્ક પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ અંગે મૂંઝવણ થઈ શકે છે. આ પછી કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીએ તેમાં તાત્કાલિક ફેરફાર કર્યો છે. જેના પર બંને ઉમેદવારોએ પોતાની સંમતિ પણ આપી હતી.
કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીએ શનિવારે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પ્રમુખ પદના બંને ઉમેદવારોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમને મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન જણાવ્યું કે પ્રતિનિધિએ તેના સમર્થિત ઉમેદવારની આગળ ‘1’ લખવાનું રહેશે. આ પછી બેલેટ પેપરને બેલેટ બોક્સમાં મૂકવાનું રહેશે. આ અંગે થરૂરના પ્રતિનિધિએ પ્રશ્ન કર્યો હતો.
‘1’થી મૂંઝવણની સ્થિતિ ઉભી થશે
થરૂરના પ્રતિનિધિએ કહ્યું કે આ 1 મૂંઝવણમાં પરિણમી શકે છે કારણ કે ખડગેનો સીરીયલ નંબર 1 છે. આ દર્શાવે છે કે સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટી સીરીયલ નંબર 1 પસંદ કરવાનું કહી રહી છે. તેમણે કહ્યું કે જો આ ચૂંટણીમાં બેથી વધુ ઉમેદવારો હોત તો 1 અને 2 માર્ક્સ પર ટીક કરવાની જરૂર પડી હોત પણ અહીં એવું નથી. અહીં માત્ર બે ઉમેદવારો છે. પાર્ટીના અધ્યક્ષ પદ માટે સોમવારે 17 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને મતગણતરી બુધવારે (19 ઓક્ટોબર) થશે.
સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ થશે
સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. પાર્ટી હેડક્વાર્ટર અને દેશભરમાં 65થી વધુ કેન્દ્રો પર મતદાન થશે. પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ (PCCs)ના 9000થી વધુ પ્રતિનિધિઓ ગુપ્ત મતદાન દ્વારા પક્ષના નવા અધ્યક્ષની પસંદગી કરશે. AICCમાં મતદાન મથકો પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં 50થી વધુ લોકો મતદાન કરશે. કોંગ્રેસમાં 24 વર્ષ બાદ આ પ્રથમ વખત બનશે કે નહેરુ-ગાંધી પરિવારની બહારની વ્યક્તિ અધ્યક્ષ બનશે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની છેલ્લી ચૂંટણી 2000માં યોજાઈ હતી, જ્યારે જિતેન્દ્ર પ્રસાદને સોનિયા ગાંધીના હાથે જોરદાર હારનો સામનો કરવો પડ્યો હતો.