પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસની વધતી કિંમતો પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. તેમાં સોનિયા ગાંધીએ સવાલ કર્યો છે કે સરકાર રેટ વધારવાના પોતાના પગલાને સાચું કેવી રીતે ઠેરવી શકે છે? સોનિયા ગાંધીએ પત્રમાં સરકારને પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીને ઓછી કરવા રામધર્મનું પાલન કરવાની અપીલ કરી છે.
#Congress Chief Sonia Gandhi writes to PM @narendramodi over rising #FuelPrices . "I urge you to roll back these increases and pass on the benefit to our middle & salaried class, our farmers & poor and our fellow citizens," she writes.#TV9News pic.twitter.com/smtHIbtWGg
— tv9gujarati (@tv9gujarati) February 21, 2021
પત્રમાં સોનિયા ગાંધીએ લખ્યું છે કે સરકારની પસંદગી લોકોનો બોજ ઓછો કરવા માટે કરવામાં આવે છે. હું તમને આગ્રહ કરૂ છું કે તમે ઈંધણની કિંમતોમાં તાત્કાલિક ઓછા કરવા કાચાતેલની ઓછી કિંમતોનો લાભ મધ્યમ શ્રેણી, પગારદાર કર્મી, ખેડૂતો, ગરીબો અને સામાન્ય માણસને આપે. આ તમામ લોકો લાંબા સમયથી અભૂતપૂર્વ આર્થિક મંદી, બેરોજગારી, વેતનમાં ઘટાડો અને રોજગારી ના હોવાના કારણે સંઘર્ષમાં પસાર થઈ રહ્યા છે.
પત્રમાં આગળ કહેવામાં આવ્યું છે કે મોદી સરકારના લગભગ 7 વર્ષ પૂરા થઈ ગયા છે, હાલમાં પણ NDA સરકાર પોતાના આર્થિક ગેરવહીવટ માટે અગાઉની સરકારોને દોષી ઠેરવે છે. આગળ દાવો કરવામાં આવ્યો કે દેશમાં 2020માં કાચાતેલનું ઉત્પાદન છેલ્લા 18 વર્ષના ન્યૂનતમ સ્તર પર છે.