AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજસ્થાનમાં કોંગ્રેસનો મોટો દાવ, સરકાર બનશે તો સ્વામિનાથન રિપોર્ટના આધારે MSPની ગેરંટી માટે કાયદો લાવશે

કોંગ્રેસે પોતાનો ઢંઢેરો જાહેર કરતા મોટી વાત કરી છે કે જો તેમનની સરકાર ફરી બનશે તો ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન વ્યાજ વગર આપવામાં આવશે. ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે 5 વર્ષમાં રાજ્યના યુવાનોને 4 લાખ સરકારી નોકરીઓ સહિત 10 લાખ નોકરીઓ આપવાનું મોટું વચન આપ્યું છે. આ સાથે જ પંચાયત સ્તરે સરકારી નોકરીઓની નવી કેડર બનાવવામાં આવશે. તેમજ ખેડૂતો માટે પણ મોટી જાહેરાત કરી છે. જોકે આગામી દિવસોમાં ચૂંટણી માટે મતગણતરી થવા જઈ રહી છે

રાજસ્થાનમાં કોંગ્રેસનો મોટો દાવ, સરકાર બનશે તો સ્વામિનાથન રિપોર્ટના આધારે MSPની ગેરંટી માટે કાયદો લાવશે
Congress election manifesto in Rajsthan
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2023 | 4:37 PM
Share

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટી પુરે પુરુ જોર લગાવી રહી છે. રાજસ્થાનમાં મતદાન 25મી નવેમ્બરે થવાનું છે. ત્યારે કોંગ્રેસે મતદાનના ચાર દિવસ પહેલા પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને રીઝવવા માટે એક મોટું પગલું કોંગ્રેસ તરફથી ભરવામાં આવ્યું છે. કોંગ્રેસે કહ્યું છે કે જો રાજ્યમાં ફરીથી તેમની સરકાર બનશે તો તે સ્વામિનાથનના રિપોર્ટના આધારે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની બાંયધરી આપતો કાયદો લાગુ કરીશુ.

રાજસ્થાન એ પહેલું રાજ્ય છે જ્યાં કોંગ્રેસે રાષ્ટ્રીય ખેડૂત આયોગની ભલામણો અનુસાર MSPની ગેરંટી આપવાની મોટી જાહેરાત કરી છે. આ કાયદા હેઠળ, કોઈ પણ ખેડૂતનો પાક MSP કરતાં ઓછી કિંમતે ખરીદી શકશે નહીં. ખેડૂતો પાસેથી ઓછા ભાવે પાક ખરીદનારાઓને દંડ કરવામાં આવશે અને તેમના માટે સજાની પણ જોગવાઈ છે.

ખેડૂતોને વ્યાજ વગર 2 લાખ રૂપિયાની લોન મળશે – કોંગ્રેસ

કોંગ્રેસે પોતાનો ઢંઢેરો જાહેર કરતા મોટી વાત કરી છે કે જો તેમનની સરકાર ફરી બનશે તો ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન વ્યાજ વગર આપવામાં આવશે. ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે 5 વર્ષમાં રાજ્યના યુવાનોને 4 લાખ સરકારી નોકરીઓ સહિત 10 લાખ નોકરીઓ આપવાનું મોટું વચન આપ્યું છે. આ સાથે જ પંચાયત સ્તરે સરકારી નોકરીઓની નવી કેડર બનાવવામાં આવશે. તેમજ ખેડૂતો માટે પણ મોટી જાહેરાત કરી છે. જોકે આગામી દિવસોમાં ચૂંટણી માટે મતગણતરી થવા જઈ રહી છે ત્યારે હવે આ ચૂંટણી ઢંઢેરો કોંગ્રેસ માટે ફાયદાકારક રેહશે કે કેમ તે તો 3 ડિસેમ્બરના રોજ જાણી શકાશે.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં શું છે?

  • નાના વેપારીઓ અને દુકાનદારોને 5 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન
  • મર્ચન્ટ ક્રેડિટ કાર્ડ સ્કીમ શરૂ કરવામાં આવશે
  • રાજ્યમાં જાતિ ગણતરી હાથ ધરવી
  • ચિરંજીવી હેલ્થ પ્રોટેક્શન ઈન્સ્યોરન્સની રકમ 25 લાખ રૂપિયાથી વધારીને 50 લાખ રૂપિયા કરવામાં આવશે.
  • પરિવારની એક મહિલા સભ્યને એક વર્ષમાં 10,000 રૂપિયાનું માનદ વેતન આપવામાં આવશે.

અમે ફક્ત તે જ વચનો આપીએ છીએ જે અમે પૂરા કરી શકીએ – ખડગે

‘પબ્લિક મેનિફેસ્ટો’ જાહેર કર્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે રાજસ્થાન કોંગ્રેસનો મજબૂત ગઢ છે. અમે ફક્ત એવા વચનો આપીએ છીએ જે આપણે પૂરા કરી શકીએ. અમે આગામી 5 વર્ષમાં રાજ્યના યુવાનોને 10 લાખ નોકરીઓ પ્રદાન કરીશું, જેમાંથી 4 લાખ નોકરીઓ સરકારી નોકરીઓ હશે. તેમજ તેમણે કહ્યું હતુ કે અમે તેવા જ વચનો આપીએ છીએ જે પુરા કરી શકીએ .

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">