CM કેજરીવાલે PM મોદીને લખ્યો પત્ર, આ અંગે પરવાનગી ના આપતા આપ્યું મોટું નિવેદન

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) હાલ ફરી ચર્ચામાં આવ્યા છે. તેમણે એક બાબત પર દેશના વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે.

CM કેજરીવાલે PM મોદીને લખ્યો પત્ર, આ અંગે પરવાનગી ના આપતા આપ્યું મોટું નિવેદન
CM Kejriwal wrote a letter to PM ModiImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 10:02 PM

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં અવારનવાર નિવેદન અને શબ્દોનો પ્રહાર કરતા રહે છે. હાલમાં તે ફરી ચર્ચામાં આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (arvind kejriwal)  વડાપ્રધાન મોદીને (PM Modi) પત્ર લખ્યો છે. આ પત્રમાં શું લખ્યુ છે એ જાણવુ ઘણુ મહત્વનુ છે. અરવિંદ કેજરીવાલે સિંગાપોરમાં યોજાનારી વર્લ્ડ સિટીઝ સમિટમાં ભાગ લેવા માટે પરવાનગી ન મળવા પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્ર દ્વારા નારાજગી વ્યક્ત કરતા તેમણે કેન્દ્રના વર્તનને ખોટું ગણાવ્યું છે.

સિંગાપોર સરકારે વર્લ્ડ સિટીઝ સમિટ માટે દિલ્હી સરકારને આમંત્રણ આપ્યું છે. આ સમિટમાં હાજરી આપીને કેજરીવાલ સિંગાપોરમાં દિલ્હી મોડલ રજૂ કરવાના હતા. પરંતુ હજુ સુધી તેમને ત્યાં જવા માટે કેન્દ્ર સરકાર તરફથી પરવાનગી મળી નથી. લગભગ એક મહિનાથી કેજરીવાલની ફાઈલ કેન્દ્ર સરકાર પાસે પડી છે, પરંતુ તેના પર કોઈ જવાબ આવ્યો નથી. હવે કેજરીવાલે વડાપ્રધાન મોદીને પત્ર લખીને તેમને વહેલી તકે સિંગાપોર જવાની પરવાનગી આપવા જણાવ્યું છે, જેથી તેઓ વિદેશની ધરતી પર ભારતનું ગૌરવ વધારી શકે.

મને રોકવુ દેશ હિત વિરુદ્ધ – કેજરીવાલ

આ જ પત્રમાં અરવિંદ કેજરીવાલે લખ્યું છે કે, સિંગાપોરમાં દુનિયાના ઘણા મોટા નેતાઓની સામે દિલ્હી મોડલ રજૂ કરવું પડશે. આજે આખી દુનિયા દિલ્હી મોડલ વિશે જાણવા માંગે છે. ત્યાંથી આ આમંત્રણ દેશ માટે ગર્વ અને સન્માનની વાત છે, પરંતુ એક મુખ્યમંત્રીને આવા મહત્વના તબક્કાની મુલાકાત લેતા રોકવા એ દેશના હિતની વિરુદ્ધ છે. તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ 1 ઓગસ્ટે સિંગાપોરમાં યોજાનારી વર્લ્ડ સિટી કોન્ફરન્સમાં દિલ્હી મોડલ રજૂ કરવાના છે. કેજરીવાલે 7 જૂનના રોજ નરેન્દ્ર મોદીને આ અંગે પરવાનગી માંગતો એક પત્ર પણ લખ્યો હતો.

આ પણ વાંચો

આ રહ્યો એ પત્ર

સિંગાપોરમાં દિલ્હી મોડલ રજૂ કરવામાં આવશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 1 ઓગસ્ટે યોજાનારી વર્લ્ડ સિટીઝ સમિટ 2022માં ભાગ લેશે. કેજરીવાલને સિંગાપોરના હાઈ કમિશનર સિમોન વેંગે 1 જૂને મીટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે, તેઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા આતુર છે.

જોવાનુ એ રહ્યુ કે ભારત સરકાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આ પ્રવાસ માટે પરવાનગી આપશે ? જો કેજરીવાલને તેના માટે પરવાનગી ના મળી તો તેમનુ આગળનુ પગલુ શું હશે ?

Latest News Updates

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
g clip-path="url(#clip0_868_265)">