AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhattisgarh Corona Update : છત્તીસગઢમાં કોરોના સંક્રમણ વધ્યું, દુર્ગ જિલ્લામાં 6 થી 14 એપ્રિલ સંપૂર્ણ લોકડાઉન

Chhattisgarh Corona Update : દુર્ગ જિલ્લામાં Corona વાયરસના કેસો વધતા વહીવટી તંત્રએ 6 થી 14 એપ્રિલ સાત દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે.

Chhattisgarh Corona Update : છત્તીસગઢમાં કોરોના સંક્રમણ વધ્યું, દુર્ગ જિલ્લામાં 6 થી 14 એપ્રિલ સંપૂર્ણ લોકડાઉન
ફાઈલ ફોટો
| Updated on: Apr 02, 2021 | 4:46 PM
Share

Chhattisgarh Corona Update : છત્તીસગઢમાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે, જેના પગલે સરકારે કડક નિર્ણયો લીધા છે. એવા શહેરોમાં કે જ્યાં કોરોનાના વધુ કેસો બહાર આવી રહ્યા છે, ત્યાં લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. દુર્ગ જિલ્લા વહીવટી તંત્રએ 6 એપ્રિલથી 14 એપ્રિલ દરમિયાન સમગ્ર જિલ્લાને તાળાબંધી કરવાનો નિર્ણય લીધો છે.

દુર્ગમાં 6 થી 14 એપ્રિલ સંપૂર્ણ લોકડાઉન દુર્ગ જિલ્લામાં Corona વાયરસના કેસો વધતા વહીવટી તંત્રએ 6 થી 14 એપ્રિલ સાત દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. દુર્ગના જિલ્લા કલેકટર સર્વેશ્વર ભૂરે(Durg Collector Sarveshwar Bhure )એ લોકડાઉનની જાહેરાત કરી છે. કલેકટર સર્વેશ્વર ભૂરેએ નાગરિકોને અપીલ કરી છે કે જિલ્લામાં ઝડપથી ફેલાતા કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રિત કરવા માટે લોકડાઉન દ્વારા કોરોનાની ગતિને અંકુશમાં લેવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે.

સરકારે લોકડાઉન માટે જિલ્લાઓને છૂટ આપી છત્તીસગઢમાં Corona વાયરસના વધતા જતા સંક્રમણને લઈને સરકાર એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો લઇ રહી છે. રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સ્થાનિક સંજોગોને ધ્યાનમાં રાખીને લોકડાઉન અંગે નિર્ણય લેવાનો અધિકાર જિલ્લા કલેક્ટરોને આપ્યો છે. આ અગાઉ રાજધાની રાયપુર સહિ‌ત રાજ્યના અનેક જિલ્લાઓમાં રાત્રે દુકાન નહીં ખોલવાના આદેશો જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય કેટલાંક જિલ્લાઓમાં રાત્રે કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ રાયપુરમાં કલમ 144 પણ લાગુ છે.

21 માર્ચથી બંધ છે સ્કુલ-કોલેજ, આંગણવાડી છત્તીસગઢમાં 21 માર્ચ, રવિવારના દિવસે Corona વાયરસના નવા 1000 કેસો સામે આવ્યાં બાદ સરકાર એક્શન મોડમાં આવી હતી. કૃષિ મંત્રી રવિન્દ્ર ચૌબેએ કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને 21 માર્ચથી શાળાઓ, કોલેજો અને આંગણવાડી અંગે મોટો નિર્ણય લેતા જણાવ્યું હતું કે છત્તીસગઢમાં શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી રહી છે.

છેલ્લા 24 કલાકમાં 4617 નવા કેસ છત્તીસગઢમાં 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 4617 નવા કેસ નોંધાયા બાદ સરકારે કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે. 1 એપ્રિલે રાજ્યમાં 25 કોરોના દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આંકડા જોઈએ તો છેલ્લા ત્રણ અઠવાડિયાથી નવા કેસો ઝડપથી વધી ગયા છે. 1 એપ્રિલે રાજધાની રાયપુરમાં 1327 નવા દર્દીઓ મળી આવ્યા હતા.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">