ચારધામ યાત્રા (chardham Yatra)દરમિયાન 100થી વધુ શ્રદ્ધાળુઓના (Pilgrims)મોત બાદ ઉત્તરાખંડ સરકારે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ હવે 50 વર્ષથી વધુ ઉંમરના શ્રદ્ધાળુઓએ ફરજિયાત આરોગ્યની તપાસ કરાવવી પડશે. ઉત્તરાખંડ આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, યાત્રા દરમિયાન 101 તીર્થયાત્રીઓના મૃત્યુ થયા છે, જેમાં કેદારનાથ ધામમાં 49, બદ્રીનાથ ધામમાં 20, ગંગોત્રી ધામમાં 7 અને યમુનોત્રી ધામમાં 25 શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. જેમાંથી કેદારનાથ અને બદ્રીનાથમાં રવિવારે એક-એક વ્યક્તિનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ અને અન્ય બીમારીઓ છે.
ચારધામ યાત્રામાં ઉત્તરકાશીના (Uttarkashi) ચીફ મેડિકલ ઓફિસર કે. એસ. ચૌહાણે જણાવ્યું હતું કે, 50 વર્ષથી વધુ ઉંમરના યાત્રિકો (Chardham Pilgrims)ની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે બરકોટ, જન કી ચટ્ટી અને યમુનોત્રી મંદિર – એમ ત્રણ સ્થળોએ આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે.
હકીકતમાં, કોવિડ -19 મહામારી બાદ બે વર્ષના ગાળા બાદ ચાર ધામ યાત્રા 3 મેના રોજ શરૂ થઈ હતી. આ યાત્રામાં ઉત્તરકાશીમાં યમુનોત્રી અને ગંગોત્રી, રુદ્રપ્રયાગમાં કેદારનાથ અને ચમોલી જિલ્લામાં બદ્રીનાથની યાત્રાનો સમાવેશ થાય છે. આ બધા તીર્થસ્થાનો ગઢવાલ હિમાલયના પર્વતીય પ્રદેશમાં આવેલા છે. અને વાતાવરણમાં મોટો ફેરફાર થતચો હોવાથી યાત્રા શરૂથઈ ત્યારથી જ શ્રદ્ધાળુઓના મોતની ઘટનાઓ બની રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મૃત્યુઆંક હવે 100ને પાર કરી ગયો છે. તેને જોતા ઉત્તરાખંડ સરકારે મોટો નિર્ણય લીધો છે. ઉત્તરાખંડના આરોગ્યના મહાનિર્દેશક શૈલજા ભટ્ટે કહ્યું કે અમે ચાર ધામ યાત્રા માટે આવતા 50 વર્ષના અને તેથી વધુ ઉંમરના તમામ યાત્રાળુઓ માટે મેડિકલ સ્ક્રીનિંગ ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે.
રુદ્રપ્રયાગના ચીફ મેડિકલ ઓફિસર બી.કે. શુક્લાએ જણાવ્યું હતું કે, જે યાત્રીઓ આગળની યાત્રા માટે તબીબી રીતે ફિટ નથી તેમને અમ પરત ફરવાની સલાહ આપી છે.
પ્રવાસન સચિવ દિલીપ જવલકરે જણાવ્યું હતું કે, અગાઉ, મુસાફરી જાહેર પરિવહન દ્વારા કરવામાં આવતી હતી અને ઓછામાં ઓછા નવ દિવસનો સમય લાગતો હતો, પરંતુ હવે યાત્રાળુઓ ખાનગી વાહનોમાં આવે છે અને સારા રસ્તાઓને કારણે, અવરજવર ઝડપી છે. જોકે અવરજવર જડપી બની છે પરંતુ યાત્રિકો ટૂંકા ગાળામાં અહીંના હવામાનમાં સાથે અનુકૂલન સાધી શકતા નથી. તેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને યાત્રીઓના મોત થાય છે.